1. Home
  2. Tag "panchmahal"

પંચમહાલમાં તોફાનોના કેસમાં 22 આરોપીઓનો પુરાવાના અભાવે છુટકારો

પંચમહાલ :ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરની અદાલતે રાજ્યમાં 2002ના ગોધરા હત્યાકાંડ પછી સર્જાયેલા તોફાનોના કેસમાં 22 આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને નિર્દોશ છોડી મુકવા આદેશ કર્યો હતો. બનાવના દિવસે તોફાની ટોળાએ બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 સભ્યોની હત્યાના કરી હતી. તેમજ તેમની તોડફોડ કરીને મિલકતને નુકશાન પહોંચાડ્યું હતું. બચાવ પક્ષના વકીલએ જણાવ્યું હતું […]

જાંબુઘોડાઃ PM મોદીએ આદિવાસીઓની બહાદુરી અને આઝાદીની લડાઈના ભવ્ય ઈતિહાસને યાદ કર્યો

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના જાંબુઘોડા, પંચમહાલમાં લગભગ રૂ. 860 કરોડના પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે,  આજનો દિવસ ગુજરાતના આદિવાસી અને આદિવાસી સમુદાયો માટે મહત્વનો દિવસ છે. આ વિસ્તાર સાથેના તેમના લાંબા જોડાણને યાદ કરતાં પીએમએ જાંબુઘોડા ખાતે ઉપસ્થિત રહીને ખૂબ જ ગર્વ વ્યક્ત કર્યો હતો, […]

પંચમહાલમાં ટ્રકે બાઈકને અટફેટે લેતા 3 યુવાનોના ઘટના સ્થળે મોત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન પંચમહાલના વેજલપુર પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 યુવાનના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા-વડોદરા હાઇવે પર વેજલપુર પાસેથી […]

પંચમહાલના ગ્રામ્ય વિસ્તારમાં વાઘનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ, સ્થાનિકોમાં ભય

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાઘ અને દીપડા દ્વારા માનવ પર હુમલો કરવામાં આવ્યો હોવાના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટો અંગે વન વિભાગ  દ્વારા તપાસ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ્સ વાયરલ થયા બાદ સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, વનવિભાગની વાઘની હાજરીની કોઈ પુરાવા નહીં મળ્યાં હોવાનું જાણવા મળે છે. […]

સોશિયલ મીડિયા મારફતે કિંમતી ભેટ આપવાના બહાને ઠગાઈ આચરનારી ગેંગ ઝબ્બે

અમદાવાદઃ પંચમહાલમાં એક વ્યક્તિ સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવીને લોભામણી લાલચ આપીને લાખોની ઠગાઈ આચરનારી ગેંગને પોલીસે ગુરૂગ્રામથી ઝડપી લીધી હતી. ગેંગની બે મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરીને પોલીસે પૂછપરછ આરંભી છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના હાલોલમાં રહેતા એક વ્યક્તિ સાથે ઓનલાઈન છેતરપિંડી કરનાર 4 શખ્સોની પોલીસે ધરપકડ […]

પંચમહાલની ફેકટરીમાં લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 5 ઉપર પહોંચ્યો

અમદાવાદઃ મધ્યગુજરાતના પંચમહાલમાં એક ફેકટરીમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને પાંચ ઉપર પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. બચાવ અને રાહતકાર્ય દરમિયાન વધુ બેનાં મૃતદેહ મળી આવ્યા હતા. વડોદરાની એસડીઆરએફની 10 સભ્યોની ટિમ પ્લાન્ટમાં સર્ચ ઓપરેશન કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલમાં રણજીતનગર સ્થિત એક કંપનીમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા. દરમિયાન અચાનક આગની ઘટના […]

પંચમહાલનું આ એક એવુ સ્થળ કે જ્યાં કોઈ ડેમ નથી છતાય ઓળખાય છે કડા ડેમના નામથી

અમદાવાદઃ વડોદરા નજીક પંચમહાલ જિલ્લામાં અંદાજે રસ્તા માર્ગે 70 થી 80 કિમીના અંતરે આવું જ એક કુદરતનું મસ્ત સરનામું છે જાંબુઘોડા. અભ્યારણ્યમાં આવેલું કડા જળાશય જે અહીં કોઈ ડેમ( બંધ) ન હોવા છતાં બહુધા કડા ડેમના નામે ઓળખાય છે. આ વિસ્તારના વન અધિકારી અને હાલમાં વન્ય જીવ વિભાગ, વડોદરાના કાર્યકારી મદદનીશ વન સંરક્ષકએ જણાવ્યું કે, […]

પંચમહાલ જિલ્લાનો ઈતિહાસ – પાંચ મહેલ પરથી નામ આવ્યું પંચમહાલ

ગુજરાતમાં જેટલા પણ જિલ્લાઓ છે તેનો અલગ ઈતિહાસ છે, દરેકનો અલગ અલગ ઈતિહાસ છે જેના કારણે દરેક જિલ્લા આગવી ઓળખ ધરાવે છે. પંચમહાલ જિલ્લો કે જેની વાત જ અલગ છે, એક જ સ્થળ પર પાંચ મહેલ હતા તેના આધારે આનું નામ પાડવામાં આવ્યું છે તેવું સરકારી રેકોર્ડમાં બોલે છે. પંચમહાલ એટલે કે “પાંચ મહેલ” જેમાં […]

પંચમહાલના કાલોલમાં બે જૂથો બાખડી પડ્યાઃ તોફાની તત્વોએ પથ્થરમારો કરતા PI, PSI ઘવાયા

કાલોલઃ  પંચમહાલના કાલોલમાં બે જૂથ બાખડી પડ્યા હતા. આ બનાવ બાદ અહીં તોફાનો જેવી સ્થિતિ ઊભી થઈ હતી. પરિસ્થિતિ વણસી જતા જિલ્લા એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. દરમિયાન કેટલાક તોફાની તત્વોએ પોલીસ પર પણ જોરદાર પથ્થરમારો કર્યો છે. જેમાં PI-PSI સહિતના જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હતા.  બેકાબૂ બનેલા ટોળાંને વિખેરવા માટે પોલીસને […]

ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારને લઈને એસટી દ્વારા દોડાવાશે વધારે બસો

અમદાવાદઃ ગુજરાતના હોળી-ધૂળેટીની ધાર્મિક માહોલની સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હાલ અમદાવાદ સહિતના શહેરી વિસ્તારમાં રહેતા લોકો હોળી-ધૂળેટીની ઉજવણી કરવા પોતાના ગામ જઈ રહ્યાં હોવાથી એસટી સ્ટેન્ડ ઉપર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મુસાફરોને હાલાકી ન પડે તે માટે એસટી નિગમ દ્વારા વધારે બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એસટી બસમાં મુસાફરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code