રાહુલ ગાંધીને પાસપોર્ટ કેસમાં કોર્ટમાંથી મળી રાહત,10ને બદલે ત્રણ વર્ષ માટે NOC મળી
દિલ્હી : પાસપોર્ટ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કોર્ટમાંથી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે રાહુલ ગાંધીને ત્રણ વર્ષ માટે એનઓસી આપી છે. જો કે રાહુલ ગાંધીએ કોર્ટ પાસે 10 વર્ષ માટે એનઓસીની માંગણી કરી હતી, પરંતુ સુબ્રમણ્યમ સ્વામીએ તેમની માંગનો વિરોધ કર્યો હતો અને માત્ર એક વર્ષ માટે એનઓસીની પરવાનગી આપવાનું કહ્યું હતું. […]