1. Home
  2. Tag "pollution"

દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે તમામ પ્રાથમિક શાળાઓ બે દિવસ બંધ રહેશે,સીએમ કેજરીવાલની જાહેરાત

દિલ્હી:રાજધાની દિલ્હીની હવામાં પ્રદૂષણનું પ્રમાણ ગંભીર બન્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે પ્રદૂષણના વધતા સ્તરને જોતા દિલ્હીની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ આગામી બે દિવસ સુધી બંધ રહેશે. રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણનું સ્તર ગુરુવારે આ સિઝનમાં પ્રથમ વખત “ગંભીર” શ્રેણી સુધી પહોંચ્યું હતું. વૈજ્ઞાનિકોએ આગામી બે સપ્તાહમાં પ્રદૂષણમાં વધુ વધારો થવાની આગાહી […]

સાબરમતી નદીમાં કેટલાક રહિશો અને ઉદ્યોગો દ્વારા પ્રદુષણ કરાતું હોવાનો હાઈકોર્ટમાં અપાયો રિપોર્ટ

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે હાઇકોર્ટે લીધેલી સુઓમોટો અરજીમાં અદાલત મિત્રએ રિપોર્ટ રજૂ કર્યો હતો. અદાલત મિત્રએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, હજુ પણ રહેણાક વિસ્તારો અને ઉધોગો નદીમાં કચરો ઠાલવે છે. જીપીસીબીએ કોર્પોરેશનને નોટિસ પાઠવી છે. નદીમાં કચરો ઠાલવતી સોસાયટીઓ સામે પગલા લેવા એકટિંગ ચીફ જસ્ટિસ એ.જે. દેસાઇની ખંડપીઠે આદેશ કર્યો હતો. […]

દિલ્હી-NCRમાં ધૂળની ડમરીઓ ઉડી,વધ્યું પ્રદૂષણ

દિલ્હીમાં ધૂળની ડમરી ઉડી હવાની ગુણવત્તા બગડી વિઝિબિલિટી પણ ઘટી દિલ્હી : રાજધાની દિલ્હીમાં મંગળવારે સવારે જોરદાર પવન ફૂંકાયો, ધૂળ ઉડી અને હવાની ગુણવત્તાને અસર થઈ, વિઝિબિલિટી ઘટીને 1,000 મીટર થઈ. ભારતીય હવામાન વિભાગે આ માહિતી આપી છે. હવામાનશાસ્ત્રીઓએ ધૂળ ઉડવાની પાછળ પાંચ દિવસથી ઉતર-પશ્ચિમ ભારતમાં ભીષણ ગરમી,વરસાદ ન હોવાને કારણે સુકી માટી અને મધ્યરાત્રિથી […]

દિલ્હી હવે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર નથી,ભારતના 39 શહેરોમાં પ્રદૂષણ વધ્યું 

દિલ્હી:ભારત 2022માં દુનિયામાં આઠમો સૌથી પ્રદૂષિત દેશ રહ્યો.2021માં પાંચમા નંબરે હતો.વાયુ પ્રદૂષણ માપન એકમ એટલે કે પીએમ 2.5માં પણ ઘટાડો થયો છે. તે 53.3 માઈક્રોગ્રામ /ક્યુબિક મીટર થઈ ગયું છે.આ હજુ પણ વિશ્વ આરોગ્ય સંસ્થાની સલામત રેખા (5) કરતા 10 ગણા વધુ છે.વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ જાહેર છે.આમાં 30,000 થી વધુ ગ્રાઉન્ડ બેઝ મોનિટર પાસેથી […]

સાબરમતી નદીના પ્રદુષણ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી, સરકારને આકરી ટકોર કરી

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના પ્રદુષણ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે, હાઈકોર્ટે આ મુદ્દો સુઓમોટો દાખલ કરીને તંત્રને આકરી ટકોર કરી હતી. તેમજ નોંધ્યું હતું કે, આટલુ ખરાબ અને દુષિત પાણી નહીં ચલાવી લેવાય, સરકારે આ અંગે ગંભીરતાથી પગલા લેવા જોઈએ. હાઈકોર્ટે આ સુઓમોટોની વધુ સુનાવણી 13 જાન્યુઆરી સુધી મુલત્વી રાખવામાં આવી […]

ઠંડીની વચ્ચે પ્રદૂષણમાં વધારો,દિલ્હીમાં આ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ 

દિલ્હી:રાજધાની દિલ્હીમાં ઠંડીનું ટોચર લોકોની અગ્નિ પરીક્ષા તો લઈ રહ્યું છે, તેની સાથે ખરાબ હવાએ પણ પરિસ્થિતિને બેકાબૂ બનાવવાનું કામ કર્યું છે.આ જ કારણસર આ સમયે GRAPનો ત્રીજો સ્ટેજ દિલ્હીમાં બહાર પાડવામાં આવ્યો છે.તે જ સમયે, 10-12 જાન્યુઆરી સુધી, BS-III પેટ્રોલ, BS-IV ડીઝલ 4-વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલમાં દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં […]

પ્રદુષણ પર કેજરીવાલની મોટી જાહેરાત, 2025 સુધીમાં દિલ્હીની 80 ટકા બસો વીજળીથી ચાલશે

દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું હતું કે,2025 સુધીમાં દિલ્હીની 80 ટકા બસો ઈલેક્ટ્રિક હશે અને ઈ-બસ ચલાવવાથી રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ ઘટાડવામાં ઘણો ફાયદો થશે.ઇલેક્ટ્રિક બસોની ખરીદી માટે રોડમેપ શેર કરતા કેજરીવાલે કહ્યું કે,સરકાર 2023માં આવી 1,500 બસો અને 2025 સુધીમાં 6,380 બસો ખરીદશે.રાજઘાટ ડેપો ખાતે 50 ઈલેક્ટ્રિક બસોને ફ્લેગ ઓફ કરવા માટે આયોજિત […]

અમદાવાદ શહેરમાં પ્રદુષણને કારણે ટીબી, શ્વાસનળી, અને ફેફસાના વધતા જતાં દર્દીઓ

અમદાવાદઃ શહેરમાં ઓદ્યોગિક તેમજ વધતા જતાં વાહનોને કારણે પ્રદુષણ વધતું જાય છે. ઉપરાંત કોંક્રેટના જંગલસમા નવા બનતા બિલ્ડિંગોને કારણે પ્રદુષણ વધતું જાય છે. પ્રદુષણને કારણે ઘણાબધા શહેરીજનો ટીબી, શ્વાસનળી, અને ફેફસાના રોગમાં વધારો થઈ રહ્યો છે.  શહેરમાં છેલ્લા 12 વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ટીબી, અસ્થમા, શ્વાસનળીમાં સોજો અને ફેફસાના રોગોના કુલ 50225 જેટલાં દર્દીઓ […]

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણથી રાહત,અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની શક્યતા

દિલ્હી:છેલ્લા બે દિવસથી દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ચક્રવાતી તોફાનની અસર જોવા મળી હતી. જોકે હવે તે નબળું પડી ગયું છે અને ભારતના વિસ્તારોમાંથી જતું રહ્યું છે.પરંતુ આજે પણ અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના છે.બીજી તરફ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા બાદ તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે.તેની અસર હવે મેદાની વિસ્તારોમાં પણ પડવા લાગી છે. દિલ્હીમાં આજે 12 ડિસેમ્બરે […]

અમદાવાદની સાબરમતી નદીમાં પ્રદૂષણના મામલે રિપોર્ટ રજુ કરવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ શહેરના સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવા મામલે હાઈકોર્ટમાં સુઓમોટો અરજી થઈ હતી. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે કોર્પોરેશનને કોર્ટ કમિશનની નિમણૂક કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. મ્યુનિ. કોર્પોરેશન તરફથી એવી રજુઆત કરવામાં આવી હતી કે, શાંતિગ્રામ રહેણાક વિસ્તાર નજીક પ્રદૂષિત પાણીના નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) બનાવવા દરખાસ્ત આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code