ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય – ૧૯૭૫ની કટોકટી અને મીડિયા પર પ્રી-સેન્સરશિપ
૨૫ જુન, ૧૯૭૫ની રાત્રીએ ઇન્દિરા ગાંધીએ કટોકટી ઘોષિત કરી આખા દેશને કારાગૃહમાં પરિવર્તિત કરી દીધો હતો. કટોકટીકાળમાં થયેલી ધરપકડો, અમાનુષી અત્યાચારો, આપખુદશાહી વગેરે બાબતો વિશે ઘણું લખાયું છે. આજે આપણે વાત કરવી છે કટોકટી સમય દરમિયાન મીડિયાજગત પર થયેલા અત્યાચારોની, દમનની. ૨૬મી જુન ૧૯૭૫ના દિવસે ઇન્દિરા ગાંધીએ મીડિયા પર નિયંત્રણ મુકવા કેબીનેટની બેઠક બોલાવી હતી. […]


