1. Home
  2. Tag "Rahul Gandhi"

ડ્રોન ક્રાંતિને સમજવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિષ્ફળ રહ્યાનો રાહુલ ગાંધીએ કર્યો આક્ષેપ

નવી દિલ્હી:  વર્તમાન સમયમાં યુદ્ધ ક્ષેત્રો અને અન્ય સ્થળોએ ડ્રોનની ઉપયોગિતાનો ઉલ્લેખ કરતા, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડ્રોન “ક્રાંતિ” ને સમજવામાં નિષ્ફળ ગયા છે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે તેમની યુટ્યુબ ચેનલ પર ડ્રોન અને સંબંધિત ટેકનોલોજી પર એક વીડિયો અપલોડ કર્યો છે. […]

દિલ્હી ચૂંટણીઃ ડો.એસ.જયશંકર અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ કર્યું મતદાન

દિલ્હી ચૂંટણીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. સામાન્ય હોય કે ખાસ દરેક વ્યક્તિ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓએ વહેલી સવારે મતદાન કર્યું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ મતદાન કર્યું. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે ભાજપ આવી રહ્યું છે. […]

ટ્રેનમાં આગ લાગવાની અફવા ફેલાવનારાઓને કડક સજા થવી જોઈએ: રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાને કારણે અનેક લોકોના જીવ ગયા અને ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર ખૂબ જ દુઃખદ છે અને આવી પરિસ્થિતિ સર્જાવા પાછળના કારણોની તપાસ થવી જોઈએ. તેમજ જવાબદારો સામે આકરી કાર્યવાહી થવી જોઈએ. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રના જલગાંવમાં થયેલા ભયાનક […]

અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરવાના માનહાનીના કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત

નવી દિલ્હી:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે નીચલી અદાલતની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકર નવીન ઝાએ 2019 માં રાહુલ ગાંધી વિરુદ્ધ શાહ વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ કેસ દાખલ કર્યો હતો. કેસની […]

ડો. મનમોહન સિંહજીનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલિન, ભીની આંખે અંતિમ વિદાય અપાઈ

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના રાજકીય સમ્માનની સાથે નિગમ બોધ ઘાટ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ અંતિમ સંસ્કાર વખતે ઉપસ્થિત રહ્યાં હતા અને સ્વ. ડો. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. ભારતીય સેનાના ત્રણેય પ્રમુખોએ પણ પૂર્વ વડાપ્રધાનને સલામી આપી […]

મોંઘવારીએ લોકોના રસોડાનું બજેટ બગાડ્યું: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ દિલ્હીમાં શાકભાજી માર્કેટની લીધી મુલાકાત શાકભાજી ખરીદતી મહિલાઓ સાથે કર્યો સંવાદ નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે શાકભાજીના ભાવ વધારાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા અને આરોપ લગાવ્યો કે સામાન્ય લોકોનું રસોડાનું બજેટ બગડી ગયું છે, પરંતુ સરકાર કુંભકરણની જેમ સૂઈ રહી છે. રાહુલ ગાંધીએ દિલ્હીના કાલકાજી વિસ્તારમાં શાકભાજી […]

સંસદમાં ધમાલ મામલે પોલીસ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવે તેવી શકયતા

નવી દિલ્હી: સંસદ સંકુલમાં “ધક્કો મારવા”ના સંબંધમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે કેસ નોંધવામાં આવ્યાના એક દિવસ પછી, સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ આ ઘટનામાં ઘાયલ થયેલા બે સાંસદોના નિવેદનો રેકોર્ડ કરી શકે છે અને વિરોધ પક્ષના નેતાને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ સંસદ સચિવાલયને પણ પત્ર લખીને તે વિસ્તારના […]

સંસદ સંકુલમાં ધક્કામુક્કીના કેસમાં રાહુલ ગાંધી સામે FIR દાખલ

નવી દિલ્હીઃ સંસદ ભવન સંકુલમાં થયેલી ધક્કામુક્કીના મામલામાં દિલ્હી પોલીસે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કલમ 115 (સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવી), કલમ 117 (સ્વૈચ્છિક રીતે ગંભીર ઇજા પહોંચાડવી), કલમ 125 (જીવનને જોખમમાં મૂકવું), કલમ 131 […]

સંસદના સંકુલમાં BJP-I.N.D.I.A. ના સાંસદો વચ્ચે પ્રદર્શનને લઈને મામલો બિચક્યો, BJPના MP ઘાયલ

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના 19 માં દિવસે પણ વિપક્ષના ભારે હોબાળા વચ્ચે લોકસભા તેમજ રાજયસભા આવતીકાલ સુધી સ્થગતિ કરવામાં આવી છે. બંને ગહમાં બાબા સાહેબના “સન્માન” અંગે પક્ષ અને વિપક્ષે આરોપ-પ્રત્યારોપ લગાવ્યા હતા. સંસદ સંકુલમાં ભાજપ અને ઈન્ડી ગઠબંધનના સાંસદો સામે આવી ગયા હતા, આ દરમિયાન થયેલી ધક્કા-મુકીમાં ભાજપના સાંસદ ઈજાગ્રસ્ત થયાં હતા. સાંસદને […]

રાહુલ ગાંધીની સંભલ મુલાકાત પહેલા દિલ્હી-ગાઝીપુર બોર્ડર પર સુરક્ષા વધારાઈ

નવી દિલ્હીઃ આજરોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં સંભલ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને મળવાના ઉદ્દેશ્ય સાથે દિલ્હીથી રવાના થશે. આ દરમિયાન તેમની બહેન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમની સાથે જોડાશે. પ્રવાસ પહેલા દિલ્હી ગાઝીપુર બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. રાહુલ ગાંધીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code