ભરૂચમાં નર્મદા નદી પરના સિલ્વર બ્રિજની સપાટી 40 ફુટથી ઘટતા રેલ વ્યવહાર શરૂ કરાયો
ભરૂચઃ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદીમાં પૂર હોનારતની સ્થિતિ ઊભી થઈ હતી. દરમિયાન નર્મદા નદી પરના રેલવેના સિલ્વર બ્રિજની સપાટી 40 ફૂટે પહોંચતા વેસ્ટર્ન રેલવે દ્વારા ગત રવિવારની મોડી રાતથી મુંબઈ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. સોમવારે નર્મદા નદીના પાણી જોખમી સ્તરથી નીચે ઉતરવાના કારણે અપ […]