1. Home
  2. Tag "Rajkot district"

રાજકોટ જિલ્લામાં રાજાશાહી વખતની 11 પ્રાથમિક શાળાઓનો 5.14 કરોડના ખર્ચે જીણોદ્ધાર કરાશે

રાજકોટઃ જિલ્લામાં રાજાશાહી વખતની 11 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાના વર્ષો જુના ખખડધજ  હેરિટેજ મકાનો આગવી ઓળખસમા ઊભા છે. વર્ષો જુના મકાનો હોવાથી તેને મરામત કરાવવા જરૂરી છે. ત્યારે જિલ્લાના 11 હેરિટેજ શાળાઓનુ રૂ.5.14 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે. જેમાં ધોરાજી અને ઉપલેટામાં આંતરિયાળ વિસ્તારોમાં આવેલી રાજાશાહી સમયની પ્રાથમિક શાળાઓ છેલ્લા ઘણાં સમયથી જર્જરિત […]

રાજકોટ જિલ્લામાં સિંહોની તરસ છીપાવવા 20 પાણીના અવેડા અને 200 વોચ ટાવર ઊભા કરાશે

રાજકોટઃ જિલ્લામાં અવાર-નવાર વનરાજોના આંટાફેરાને લીધે જિલ્લાનો બૃહદગીર વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી વન વિભાગ દ્વારા  સિંહોના કાયમી વસવાટની યોજના અંતર્ગત ગોંડલના ધરાડા-દેરડી-ખંભાલીડા, કાગવડ અને મસીતાળામાં 15 થી 20 પાણીના અવેડા બનાવાશે. તેમજ   200 જેટલા વોચટાવરો ઊભા કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના જુદા જુદા વિસ્તારોનો સત્તાવાર રીતે બૃહદ ગીરમાં પણ […]

રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 423 શિક્ષકોની ઘટ, 40 સ્કુલોમાં માત્ર એક જ શિક્ષક

રાજકોટઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અપુરતા શિક્ષકો હોવાને લીધે શિક્ષણ કાર્ય પર તેની અસર પડી રહી છે. રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 423 શિક્ષકોની ઘટ છે. જિલ્લામાં 40 શાળાઓ તો એવી છે. કે, જેમાં માત્ર એક જ શિક્ષક છે. રાજકોટ નજીક હીરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. પણ હીરાસર ગામની પ્રાથમિક […]

રાજકોટ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં જ 1,02,31,600 સ્વેર મીટર ખેતીની જમીન બીનખેતી થઈ

રાજકોટઃ ગુજરાતમાં વધતા જતાં ઉદ્યોગોને કારણે ખેતીની જમીનમાં ઘટાડો થતો જાય છે. અને દરેક જિલ્લાઓમાં ખેતીની જમીન ઘટતી જાય છે. સરકાર દ્વારા ઉદારતાથી ખેતીની જમીનને બીન ખેતીમાં રૂપાંતરિત કરવામાં આવતી હોવાથી બીજીબાજુ ખેડુતોને પણ પોતાની જમીનોના સારા ભાવ મળતા હોવાથી ખેતીની જમીનો વેચી રહ્યા છે. એટલે ખેતીની જમીનો બીન ખેતી થઈ રહી છે. રાજકોટ શહેર-જિલ્લામાં […]

રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો પરના દબાણો દુર કરાવવા કલેક્ટરે આપ્યો આદેશ

રાજકોટઃ  જિલ્લામાં સરકારી જમીન પર દબાણો થયેલા છે. શહેરની ભાગોળે સરકારી જમીનો પર કાચા-પાકા મકાનો, ઝૂંપડા બાંધીને દબણો કરાયેલા છે. ઉપરાંત જિલ્લાના તમામ તાલુકો મથકો તેમજ ગાંમડાંઓમાં દબાણો થયોલા હોવાથી ફરિયાદો ઉઠતા જિલ્લા કલેકટરએ તમામ મામલતદારોને સરકારી જમીનો પરના દબાણો ઝુંબેશ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. એટલે આગામી સપ્તાહથી સરકારી જમીનો પરના દબોણો દૂર કરવા […]

રાજકોટ જિલ્લાની 106 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં આચાર્યની ખાલી જગ્યા માટે ભરતીનો પ્રારંભ

રાજકોટઃ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની ખાલી જગ્યાઓ ભરવા માટે શાળા સંચાલકોની રજુઆતો બાદ રાજકોટમાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં આર્ચાર્યોની ભતીનો પ્રારંભ કર્યો છે. રાજકોટ જિલ્લાની 106 ગ્રાન્ટેડ માધ્યમિક શાાળાઓમાં આચાર્યની ખાલી પડેલી જગ્યા માટે વિરાણી હાઇસ્કુલ ખાતે આ ભરતી કેમ્પ શરૂ કરાયો હતો. જેમાં શુક્રવારે પ્રથમ દિવસે સાત જેટલી શાળાઓના આચાર્યની જગ્યા માટે ઉમેદવારોને […]

રાજકોટ જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં ગત વર્ષ કરતા 15 ટકાનો થયો ઘટાડો, તલનું વાવેતર વધ્યું

રાજકોટઃ  ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે ખરીફ અને ત્યારબાદ રવિપાકનું મબલખ ઉત્પાદ થયું હતું. સિંચાઈની સુવિધા સરળ બનતા દિવાળી બાદ રવિપાકના વાવેતરમાં પણ વધારો થયો હતો. જો કે ઉનાળામાં સિંચાઈ માટેના પાણીની સુવિધા નહોવાથી કેટલાક જિલ્લાઓમાં ઉનાળું પાકના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જેમાં જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં ગતવર્ષની સરખામણીએ 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. […]

રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળામાં 725 શિક્ષકની ઘટ, વિદ્યાર્થીઓના ભણતર પડતી અસર

રાજકોટઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. શિક્ષકોની ખાલી જગ્યાઓને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થઈ રહી છે. ઘણીબધી એવી શાળાઓ છે, જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. સરકારે વિદ્યાસહાયકોની ભરતીનું મેરિટલિસ્ટ જાહેર કરી દીધુ છે. હવે સ્થળ પસંદગીની પ્રકિયા હાથ ધરવામાં આવશે. ત્યારે રાજકોટ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ખાલી 725 […]

રાજકોટ જિલ્લાની 491 પ્રાથમિક શાળાઓમાં ભૌતિક સુવિધા વધારીને શ્રેષ્ઠ શિક્ષણ અપાશે

રાજકોટઃ જિલ્લામાં 11 તાલુકાની 491 પ્રથામિક શાળાઓમાં ભૌતિક સુવિધા વધારીને બાળકોને ગુણવત્તાલક્ષી અને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટમાં જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 120થી વધારે હોય તેવી શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ આ તમામ શાળાઓમાં સ્કુલ ઓફ એકસલન્સ પ્રોજેક્ટ હેઠળ જરૂરી કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. […]

રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસને લીધે 21મી ઓગસ્ટ સુધી પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ મુકાયો

રાજકોટઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પશુઓમાં લમ્પીના વાયરસથી અનેક પશુઓ મોતને ભેટી રહ્યા છે. દરમિયાન રાજકોટ જિલ્લા કલેક્ટરે લમ્પીના રોગચાળાને નિયંત્રિત જાહેર કરી રોગને ફેલાતો અટકાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં અન્ય રાજ્યો-જિલ્લાઓમાંથી પશુઓની હેરફેર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એટલે કે 21 ઓગષ્ટ સુધી એક ગામમાથી બીજા ગામમાં પશુઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code