ભરૂચમાં બે કાર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત, ચાર વ્યક્તિઓના મોત
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માતના બનાવો ઘટાડવાની દિશામાં કામગીરી કરી રહી છે. દરમિયાન આજે ભરૂચમાં બે મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોય હતો. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મૃત્યુ થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારના ફુકચેફુરચા ઉડી ગયા હતા. […]