1. Home
  2. Tag "Salary"

પાકિસ્તાનમાં આર્થિક સંકટઃ સરકારી કર્મચારીઓના પગારમાં 10 ટકા કાપ કરાશે

નવી દિલ્હીઃ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ધીમે ધીમે ખરાબ થઈ રહી છે. દેશમાં વિદેશી મુદ્રા ભંડારની ભારે અછત સર્જાઈ છે. મોંઘવારી વધવાના કારણે સામાન્ય લોકો માટે બે ટાઈમનો રોટલો મેળવવો પણ મુશ્કેલ બની રહ્યો છે. પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. શાહબાઝ સરકાર કટોરો લઈને વિશ્વના દેશો પાસેથી આર્થિક […]

જેટ એરવેઝે 60% સ્ટાફને બિન પગારી રજા પર મોકલ્યો, તો કેટલાક કર્મચારીઓના પગારમાં 50% સુધીનો ઘટાડો.

જેટ  એરવેઝે સિનીયર પોસ્ટના કર્મચારીઓ સહિત તેના લગભગ 60 ટકા કર્મચારીઓને 1 ડિસેમ્બરથી ત્રણ મહિના માટે બિન પગારી (LWP) રજા પર મોકલવાનું નક્કી કર્યું છે. એરવેઝે કેટલાક કર્મચારીઓના પગારમાં પણ 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. જાલાન-કાલરોક કન્સોર્ટિયમ દ્વારા  જે દિવસે  એરવેઝને પુનર્જીવિત કરવા માટેની બીડ જીતવામાં આવી, તે દિવસે તેણે એ અંગે પોતાના નિવેદનમાં […]

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત પહેલા જ સરકારે હોમગાર્ડ જવાનોના વેતનમાં કર્યો વધારો

ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત પહેલા જ ગુજરાત સરકારે હોમગાર્ડ અને GRD જવાનોના દૈનિક ભથ્થામાં વધારો કરીને તેમને રાજી કરી દીધા છે. હોમગાર્ડના જવાનોને હાલમાં પ્રતિદિન 300નું વેતન આપવામાં આવે છે, તેમાં વધારો કરીને હવે રૂપિયા 450નું વેતન આપવામાં આવશે. આમ પ્રતિદિન વેતનમાં રૂપિયા 150નો વધારો કર્યો છે. આ ઉપરાંત જીઆરડી જવાનોને હાલ પ્રતિદિન […]

ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓને હડતાળના સમયનો 56 દિવસનો પગાર ચૂકવવાનો નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ રાજ્યના વિવિધ કર્મચારી મંડળોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો હતો. જેમાં આરોગ્ય કર્મચારીઓએ 56 દિવસ સુધી લડત આપી હતી. અને ત્યારબાદ સરકારે તેમના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. હવે આરોગ્ય વિભાગના હડતાળના સમયનો 56 દિવસને રજામાં રૂપાંતર કરીને હડતાળ સમયનો પગાર ચુકવવાનો નિર્ણય કર્યો છે. જોકે રજા […]

દિવાળીને લીધે એસટી નિગમના કર્મચારીઓને ઓક્ટોબરનો પગાર 10 દિવસ વહેલો ચુકવાશે

અમદાવાદઃ ઓક્ટોબર મહિનામાં 22મીથી 25મી દરમિયાન દિવાળીના તહેવારો છે, એટલે કે મહિનાના અંતમાં દિવાળીના તહેવારો આવતા હોવાથી રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 20મી ઓક્ટોબરે પગાર આપવાનો નિર્ણય લેવાયા બાદ હવે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર (એસટી)ના કર્મચારીઓને પણ ઓક્ટોબરનો પગાર 10 દિવસ વહેલા ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ગુજરાતના આરોગ્ય અને પંચાયત વિભાગના હેલ્થ વર્કરોના પગારમાં મહિને રૂ.4 હજારનો વધારો કરાયો

ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય અને પંચાયત વિભાગના હેલ્થ વર્કરોના સરકારે મહિને રૂપિયા 4000નો વધારો કર્યોની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, કર્મચારીઓ સરકારનું અભિન્ન અંગ છે અને રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં અનેકવિધ નિર્ણયો પણ લીધા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુરૂવારે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા 42 […]

સરકારી તબીબોની હડતાળ સામે સરકાર ઝૂકી, MBBS ડોક્ટરોનું વેતન વધારીને 75 હજાર કરાયું

અમદાવાદઃ રાજ્યમાં સરકરી હોસ્પિટલો અને દવાખાનાઓમાં તબીબોની હડતાળ વારંવાર પડતી હોય છે. પોતાની વિવિધ માગણીઓ માટે તબીબો સરકારનું નાક દબાવતા હોય છે. અને સરકારને ઝૂકવું પડતું હોય છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી તબીબોની હડતાળ ચાલી રહી હતી. આખરે રાજ્ય સરકાર હડતાળિયા ડોક્ટરો સામે ઝૂકી છે. રાજ્ય સરકારે ડોક્ટરોની માંગણીઓ સંદર્ભે હકારાત્મક અભિગમ દાખવ્યો છે. […]

લ્યો કરો વાત, સાતમા પગાર પંચ લાગુ કરાયા બાદ 70 પ્રોફેસરોનો પગાર 30 હજાર ઘટી ગયો

અમદાવાદઃ રાજય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ અપાયા બાદ કર્મચારીઓના પગારમાં ખાસ્સો વધારો થયો છે. પરંતુ  સરકારી ગ્રાન્ટેડ કોલેજોના 70 અધ્યાપકો એવા છે જેઓ સાતમાં પગારપંચનો અમલ થયાનાં દોઢ – બે વર્ષ પછી પણ ખુશ નથી. જેનુ મૂળ કારણ એ છે કે,પગારમાં વધારોને બદલે ઘટાડો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી ગ્રાન્ટેડ કોલેજોના 70 […]

અમદાવાદના મ્યુનિ.કર્મચારીઓએ વેક્સિન લીધી હશે તો જ પગાર મળશે

અમદાવાદઃ શિયાળાના આગમન સાથે કોરોનાના કેસમાં સામાન્ય વધારો થતાં શહેરમાં વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના બાગ-બગીચા, એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવામાં વેક્સિન લીધાનું સર્ટીં. હોય તેને જ પ્રવેશ અને મુસાફરી કરવા દેવામાં આવે છે. દરમિયાન  મ્યુનિ.માં ફરજ બજાવતાં કર્મચારીઓને જો બીજી વેક્સિન ન લીધી હોય […]

મહારાષ્ટ્રના આ કોર્પોરેશનમાં કોરોનાની રસી નહીં લેનાર કર્મચારીને નહીં ચુકવાય પગાર

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે મહાનગરપાલિકા (ટીએમસી)એ કોવિડ-19 વિરોધી રસીનો પ્રથમ ડોઝ નહીં લેનાર કર્મચારીઓને વેતન નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. ટીએમસીના સિનિયર અધિકારીઓએ એક બેઠકમાં આ નિર્ણય લીધો છે. બેઠકમાં મહાનગરપાલિકાના આયુક્ત ડો. વિપિન શર્મા અને થાણેના મેયર નરેશ મ્હાસ્કે પણ ઉપસ્થિત રહ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર મનપાના જે કર્મચારીઓએ રસીનો પ્રથમ ડોઝ નહીં લીધો હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code