1. Home
  2. Tag "samajwadi party"

વર્ષ 1952થી 2019 સુધીમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોણ જીત્યું, જાણો

નવી દિલ્હીઃ ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે, હવે 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. એટલે કે મંગળવારે જ ખબર પડશે કે કોની સરકાર બની રહી છે. દેશમાં પ્રથમવાર 1952માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. તે વખતે કોંગ્રેસનો જંગી બેઠકો સાથે વિજ્ય થયો હતો. અંતિમ વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી યોજાઈ […]

મુલાયમસિંહ યાદવના ભાઈ શિવપાલને ભાજપમાં સામેલ થવાની ઓફર!, ભાજપના સાંસદ શું બોલ્યા?

લખનૌ: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલસિંહ યાદવને ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાજપના સાંસદ પ્રો. રામશંકર કઠેરિયાએ પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરવાની ખુલ્લી ઓફર આપી છે. પ્રો. કઠેરિયાએ બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ છે કે તેમના તરફથી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના કાકા શિવપાલસિંહ યાદવને ભાજપમાં સામેલ થવાની ખુલ્લી ઓફર આપવામાં આવી છે. જો શિવપાલ […]

સ્વતંત્ર છે ED-CBI, અમે નથી જણાવતા કે શું કરવાનું છે?: પીએમ મોદીનો વિપક્ષને જવાબ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય એજન્સીઓ સ્વતંત્ર થઈને કામ કરે છે. તેમણે કહ્યુ છે કે કોઈપણ તરફથી તેમને નિર્દેશ આપવામાં આવતા નથી. ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહીતના ઘણાં વિપક્ષી દળો સરકાર પર ઈડી અને સીબીઆઈના દુરુપયોગનો આરોપ લગાવતા રહે છે. તમિલનાડુના થાંથી ટીવીને […]

અખિલેશના પીડીએમાં ઓવૈસી-પલ્લવીનું પીડીએમ પાડશે ગાબડું, સમાજવાદી પાર્ટીનું વધ્યું ટેન્શન

લખનૌ: લગભગ બે વર્ષથી અખિલેશ યાદવ સતત પીડીએની વાત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભાજપની લીડરશિપવાળા એનડીએનો મુકાબલો પીડીએ જ કરી શકે છે. તેમના પીડીએનો અર્થ, પછાત, દલિત અને લઘુમતીથી રહ્યો છે. આ સિવાય તેઓ ઓબીસીની તમામ જાતિઓ સિવાય દલિતો અને મુસ્લિમોને જોડવાનીવાત કરી રહ્યા છે. પરંતુ તેમની આ ટર્મને લઈને સેક્યુલર ખેમામાં […]

યુપીના મુરાદાબાદ પર મહાગુંચવાડો: હવે સમાજવાદી પાર્ટીએ રુચિ વીરાને નામાંકન કરવાથી રોક્યા, એસ.ટી. હસનના બદલે ફાઈનલ થયું હતું નામ

મુરાદાબાદ: સમાજવાદી પાર્ટીમાં મુરાદાબાદ બેઠકને લઈને સતત અસમંજસતા બનેલી છે. સૂત્રો મુજબ, હવે પાર્ટીએ આઝમખાન ખેમાની રુચિ વીરાને નામાંકન કરવાથી રોક્યા છે. મંગળવારે સાંજે પાર્ટીએ રુચિ વીરાને આજે નામાંકન કરવાનું કહ્યું હતું. જ્યારે એસટી હસન ગઈકાલે બપોરે જ મુરાદાબાદથી નામાંકન દાખલ કરી ચુક્યા છે. રુચિ વીરાના નામ બાદ મુરાદાબાદમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ મોટો વિરોધ કર્યો […]

રાજ્યસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીને ઝટકો, વિધાનસભાના મુખ્ય દંડક મનોજ પાંડેએ આપ્યું રાજીનામું

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજ્યસભાની 10 બેઠકો માટે આજે વિધાનસભામાં મતદાન ચાલી રહ્યું છે. રાજ્યસભા ચૂંટણીના મતદાન પહેલા સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને મોટો ઝટકો લાગ્યો હતો. તેમના વિશ્વાસુ, પક્ષના નેતા અને વિધાનસભામાં મુખ્ય દંડક મનોજ પાંડેએ રાજીનામું આપીને પક્ષમાં ચાલી રહેલી આંતરકલહ અને નારાજગી સ્પષ્ટ કરી દીધી છે. મનોજ પાંડે છેલ્લા […]

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી-કૉંગ્રેસ ગઠબંધનનું કારણ મુસ્લિમ વોટબેંક?

નવી દિલ્હી: કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ચુકી છે. ઉત્તરપ્રદેશની કુલ 80 લોકસભા બેઠકોમાંથી 17 પર કોંગ્રેસ અને બાકીની બેઠકો પર અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને તેના નાના સાથીપક્ષો ચૂંટણી લડશે. જો કે સમાજવાદી પાર્ટી મહિનાઓથી દાવો કરી રહી હી કે કોંગ્રેસ, ઉત્તરપ્રદેશમાં મજબૂત નથી. માટે તેને તે હિસાબથી બેઠકો માંગવી […]

રામાયણને લઈને વિવાદીત ટીપ્પણી કરનારા સ્વામી પ્રસાદ મૌર્યે સમાજવાદી પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

લખનૌ: સ્વામી પ્રસાદ મૌર્યે સમાજવાદી પાર્ટી સાથેના પોતાના સંબંધોને સંપૂર્ણપણે તોડી નાખ્યા છે. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પદેથી 13 ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યું હતું. મંગળવારે તેમણે પાર્ટીની પ્રાથમિક સદસ્યતા અને એમએલસી પદેથી પણ રાજીનામું આપ્યું છે. આના પહેલા અખિલેશ યાદવે સોમવારે આપેલા નિવેદનને ટાંકીને સ્વામી પ્રસાદ મૌર્યે કહ્યુ હતુ કે અખિલેશની સરકાર ન તો કેન્દ્રમાં છે […]

જ્ઞાનવાપી-મથુરા જ નહીં, ટાર્ગેટ પર 3000 મસ્જિદો: યોગીના નિવેદન પર SP સાંસદનો દાવો

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે વિધાનસભામાં કહ્યુ હતુ કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ બાદ હવે જ્ઞાનવાપીમાં નંદી બાબા બેરિકેડિંગ તોડી ચુક્યા છે. આ સિવાય કૃષ્ણજી પણ ક્યાં માનવાના છે. આ પ્રકારે તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે બાજપ હવે અયોધ્યા બાદ કાશી અને મથુરાના મામલાને આગળ વધારવાનું છે. આ બંને મામલાઓ પર કોર્ટમાં અરજીઓ […]

સ્વામીપ્રસાદ મૌર્ય ફરી ભાન ભૂલ્યા, રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને ઢોંગ ગણાવી હદ કરી!

લખનૌ: વિવાદાસ્પદ નિવેદનબાજી કરીને રામાયણને પણ નહીં છોડનારા સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવના ખાસ સ્વામી પ્રસાદ મૌર્યે ફરી એકવાર વિવાદીત ટીપ્પણીઓ કરીને લાગણીઓ દુભાવી છે. મૌર્યે કહ્યુ છે કે અયોધ્યાના રામમંદિરમાં રામલલા પ્રાણપ્રતિષ્ઠા ઢોંગ અને આડંબર છે. તેમણે કહ્યુ છે કે પ્રાણપ્રતિષ્ઠાથી પથ્થર સજીવ થઈ જાય તો પછી તો કોઈ મરત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code