અમરેલીના સાવરકુંડલા નગરપાલિકાનું બિલ્ડિંગ હવે જોગીદાસ ખુમાણના નામથી ઓળખાશે
અમરેલીઃ જિલ્લાની સાવરકુંડલા નગરપાલિકા બિલ્ડિંગ હવે ક્ષાત્રવટ બહારવટીયા જોગીદાસબાપુ ખુમાણના નામથી ઓળખાશે. નગરપાલિકાની જનરલ બોર્ડમાં નગરપાલિકાની બિલ્ડિંગનું નામ જોગીદાસ ખુમાણ રાખવું તે બાબતને ધ્યાનમાં લઈને સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તમામ જ્ઞાતિઓ ગૌરવ લઈ શકે તેવા જોગીદાસ ખુમાણનું નામ નગરપાલિકામાં લાગે તેવી સર્વજ્ઞાતિની લાગણી અને માંગણી હતી. અગાઉ દરબાર ગઢમાં ચાલતી કોંગ્રેસ શાસિત નગરપાલિકાની […]