ઘેલા સોમનાથ મંદિર શિવરાત્રિએ 24 કલાક ખુલ્લું રહેશે, જળ અને દુગ્ધાભિષેક સાથે ગુંજશે શિવનાદ
રાજકોટઃ મહા શિવરાત્રિના પર્વને હવે એક જ દિવસ બાકી રહ્યો છે, ત્યારે શિવ મંદિરોમાં મહા શિવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જસદણ નજીકના સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીની ભવ્યતમ ઊજવણી કરવામાં આવશે. પ્રભાસપાટણ સ્થિત સોમનાથ જ્યોતિર્લિંગ બાદ જેમનું સ્થાન શિરમોર ગણાય છે તેવા ઘેલા સોમનાથ મંદિર ખાતે તા.1 માર્ચને મંગળવારે […]