1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જુનાગઢમાં શિવરાત્રીનાં મેળાને મંજૂરી આપવા કોંગ્રેસ-ભાજપના આગેવાનોની મુખ્યમંત્રીને રજુઆત
જુનાગઢમાં  શિવરાત્રીનાં મેળાને મંજૂરી આપવા કોંગ્રેસ-ભાજપના  આગેવાનોની મુખ્યમંત્રીને રજુઆત

જુનાગઢમાં શિવરાત્રીનાં મેળાને મંજૂરી આપવા કોંગ્રેસ-ભાજપના આગેવાનોની મુખ્યમંત્રીને રજુઆત

0
Social Share

જૂનાગઢઃ શહેરના ભવનાથ ખાતે પરંપરાગત યોજાતા મહાશિવરાત્રિના મેળોને  કોરોનાના મહાસંક્રમણના કારણે છેલ્લા બે વર્ષથી સરકારે મંજુરી આપી નહતી. આ વર્ષે પણ મહાશિવરાત્રિના મેળાને હવે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે છતા આજ દિન સુધી સરકારે હજુ મંજુરી આપી નથી.રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે, ત્યારે મહા શિવરાત્રીના મેળાને મંજુરી આપવા માટે કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી તેમજ ભાજપ કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ સરકારને વિનંતી કરી છે.

સ્થાનિક આગેવાનોએ સરકારને એવી રજુઆત કરી છે કે, કોરોનાની ત્રીજી લહેર લગભગ પૂરી થઇ ચૂકી છે. સંક્રમણ ઘટી જવા પામ્યું છે છતાં મહા શિવરાત્રીના મેળાને હજુ મંજુરી આપવામાં આવી નથી. કોરોનાના કેસ ઘટતા  હોટલો, સ્કુલો, પ્રા.શાળા, બાલમંદિર વગેરે શરુ કરી દેવામાં આવ્યા છે ત્યારે બબ્બે વર્ષથી પરિક્રમા અને શિવરાત્રિનો મેળો ન યોજાતા નાના પરિવારો, પાથરણાવાળા, રેંકડી રાખીને ધંધો કરનારાઓ પોતાનું પેટીયુ રળવા જૂનાગઢ ભવનાથ ખાતે દૂર દૂરથી આવી વર્ષ આખાનો ખર્ચ કાઢવા ગુજરાન ચલાવવા પાંચ દિવસ અહીં આવતા હોય છે. તેઓની રોજીરોટીનો સવાલ આ વર્ષે પણ ઉભો થવા પામ્યો છે. ઉપરાંત વિવિધ સંસ્થાઓ, મંડળો, આશ્રમો, વ્યક્તિગત સહિતના અન્નક્ષેત્રો ચલાવતા અને પોતાના જીવન માટે પુણ્યનું ભાથુ બાંધનારાનો બબ્બે વર્ષથી કોરોનાના નિયમના કારણે કોઇ અન્નક્ષેત્રો ચલાવી શકાતા નથી. ચા પાણી સહિતના સ્ટોલ માટે હરરાજીથી પ્લોટની ખરીદી કરનારાઓ પણ કાગડોળે મંજુરીની રાહ જોઇને બેઠા છે.

મહા શિવરાત્રીના મેળાને  માત્ર આઠ દિવસ જ બાકી રહ્યા છે. અન્નક્ષેત્ર ચલાવવા માટે મંજુરી માલસામાન પહોંચાડવા ટેન્ટ મંડપો બાંધવા જમીન સમથળ કરવી, પાણી, લાઇટની વ્યવસ્થા માટે હવે જુજ દિવસો  બાકી રહ્યા છે ત્યારે હજુ કોઇ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, ડે. મેયર કોટેચા સહિતનાં મનપાના આગેવાનો શહેર ભાજપ હોદેદારો મુખ્યમંત્રીને મળવા ગાંધીનગર આવ્યા છે. ઉપરાંત જૂનાગઢના કોંગી ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ મુખ્યમંત્રીને લેખીત પત્ર પાઠવી મહાશિવરાત્રીનો મેળોને મંજુરી આપવા રજુઆત કરી છે. તાત્કાલીક નિર્ણય લેવા જણાવાયું છે. ભજન-ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમરુપી મીની કુંભમેળા સમાન જૂનાગઢ મહાશિવરાત્રિનો મેળો બબ્બે વર્ષથી યોજી શકાયો નથી. આ વષે પણ મેળા અંગે તુરંત નિર્ણય લઇ યુધ્ધના ધોરણે ઉતારા મંડળ, અન્નક્ષેત્રો સહિતનાઓને મંજુરી આપવાની માંગ સાધુ સંતો મહંતો, અખાડાઓનાં ગાદીપતિઓ સહિતનાઓની માંગ ઉઠવા પામી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code