1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જૂનાગઢના શિવરાત્રી મેળામાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ઉમટી જનમેદની- ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાઈ
જૂનાગઢના શિવરાત્રી મેળામાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ઉમટી જનમેદની- ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાઈ

જૂનાગઢના શિવરાત્રી મેળામાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ઉમટી જનમેદની- ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાઈ

0
Social Share
  • શિવરાત્રી મેળામાં ઉમટી જનમેદની
  • પ્રથમ દિવસે જ 50 હજારથી વધુ લોકોનું આગમન
  • વહિવટ તંત્ર દ્રારા ખાસ વ્યવસ્થાઓ ઈભી કરાઈ

જૂનાગઢ – શિવરાત્રી હોવાથી જૂનાગઢમાં દર વર્ષે ભવનાથમાં મેળાનું આયોજન કરવામાં આવ્તું હોય છે જો કે કોરોનાના કારણે આ આયોજન છેલ્લા 2 વર્ષથી થયું નહોતું ત્યારે આ વખતે કોરોનાના કેસોમાં ઘટાડો થતા ગઈકાલથી ભવનાથમાં મેળાવો આરંભ થયો હતો જ્યા પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી

ભવનાથના મેળામાં પહેલા જ દિવસે  50 હજારથી વધુ લોકો  આવ્યો હોવાનો અંદાજ લગાવાયો છે. આવતીકાલથી આ સંખ્યા ઘણી વધી જશે. અગાઉ જેટલા ભાવિકો ત્રીજા દિવસે દેખાતા એટલા આ વખતે પહેલાજ દિવસથી દેખાતાં મેળામાં આ વખજો કે આજે આ સંખ્યામાં વધારો નોંધાઈ શકે છે.કારણ કે હવે કોરોનાના કેસો ઘટી રહ્યા છે જેથી લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે ત્યારે શિવરાત્રી જેવા પર્વનો તળેતીમાં ખાસ વિશેષતાો હોય છે જેને લઈને રાજ્યભરના લોકો અહી આવતા હોય છે.

આ સાથે જ વહિવટ તંત્ર દ્રારા અહી અનેક સુવિધાઓ પમ ખાસ ઊભી કરવામાં આવી છે જેમાં પીવાના પાણીથી લઈને પાર્કિંગ સુધીની તમામ સુવિધાઓ ખાસ રીતે કરાય છે જેથી અહીં આવતા પ્રવાસીઓને મુશ્કેલી ન સર્જાય

આ સાથે જ આ મેળામાં  લોક ડાયરો, ભજન, સંતવાણીના કાર્યક્રમો પણ કરવામાં આવીસરહ્યા છે. જાણીતા કલાકારો દ્વારા લોક સાહિત્યની રમઝટ અને ભજન તથા સંતવાણી પણ રજૂ  કરવામાં આવશે .આ ત્રણ દિવસ સુધી યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોનો મેળામાં ઉપસ્થિત ભાવિકોને લાભ લેવા જણાવાયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code