1. Home
  2. Tag "somnath"

સૌરાષ્ટ્ર તમિલ સંગમ એ આપણા દેશની વિવિધતામાં એકતાનો ઉત્સવ: હરદીપસિંઘ પુરી

ગીર સોમનાથ: ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમ અંતર્ગત આજે સૌરાષ્ટ્રીયન તમિલો અને વરીષ્ઠ નેતાઓ વચ્ચે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંઘ પુરીએ સૌરાષ્ટ્રીયન તમિલોને આવકારતા જણાવ્યું હતું કે, ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ એ આપણા દેશની વિવિધતામાં એકતાનો ઉત્સવ છે. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું સ્વપ્ન પૂર્ણ થાય તે માટે દેશના વિભિન્ન ભાગો એકબીજાને મળી […]

સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમનું ઉદ્ઘાટન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના હસ્તે સોમવારે કરાશે

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાંથી વર્ષો પહેલા  અનેક પરિવારો એવા છે, કે તેમણે પરિવાર સાથે ધંધાર્થે તમિલનાડુમાં જઈને વસવાટ કર્યો છે. આથી બન્ને પ્રદેશોની સંસ્કૃતિના આદાન-પ્રદાન માટે સૌરાષ્ટ્ર-તમિલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તામિલનાડુંના ગુજરાતી પરિવારોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમનો કાર્યક્રમ આગામી. તા. 17મી એપ્રિલે સોમનાથ ખાતે યોજાશે.  જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદલે હવે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કાર્યક્રમનું ઉદઘાટન […]

સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ કાર્યક્રમનો 17મી એપ્રિલે વડાપ્રધાન મોદીના હસ્તે થશે પ્રારંભ

રાજકોટઃ રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરાયું છે. બન્ને પ્રદેશની સંસ્કૃતિના આદાન-પ્રદાન માટે આ કાર્યક્રમ મહત્વનો બની રહેશે. સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનો આગામી તા.17 એપ્રિલથી યાત્રાધામ સોમનાથ ખાતે પ્રારંભ થશે તેમ રાજયના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે આ કાર્યક્રમ થકી ગુજરાત અને તમિલનાડુનું આર્થિક-સાંસ્કૃતિક ક્ષેત્રે અનોખુ સંધાન રચાશે. આ […]

સોમનાથમાં શ્રીકૃષ્ણ નિજધામ ગમન તિથિ, ચૈત્રી પ્રતિપદા પર 225 કલાકારોએ કરી કલા સાધના

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાથી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ નીજધામ ગમન તિથિને ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહી છે ત્યારે સમગ્ર ભારતમાં કલા અને સાહિત્યનું સંવર્ધન કરનારી “સંસ્કાર ભારતી” સંસ્થા દ્વારા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સોમનાથ ખાતે પ્રભાતોત્સવના નામથી સંસ્કૃતિ અને કલા પ્રસ્તુત કરી પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર શ્રીકૃષ્ણ અને દેવાધિદેવ સોમનાથ મહાદેવની કલા સાધના કરવામાં આવી. […]

અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ યાત્રા એપનું લોન્ચિંગ

અમદાવાદ:દેશના ગૃહ અને સહકરીતા પ્રધાન તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. અહીં સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના અમિત શાહે દર્શન કર્યા હતા. આ સાથે સોમનાથ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. અમિત શાહ દ્વારા ભક્તિભાવ સાથે સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા, સોમેશ્વર પૂજા અને ટ્રસ્ટ દ્વારા નવી શરૂ કરાયેલ પાઘ પૂજાનો સંકલ્પ કરવામાં આવ્યો […]

મહાશિવરાત્રી પર સોમનાથમાં શિવભક્તોની ભારે ભીડ -સોમનાથ સહીત આસપાસના મંદિરો શિવનાદથી ગૂંજ્યા, રાત્રે થશે મહાપૂજા

સોમનાથમાં રાતે થષશે મહાપૂજા વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈન લાગી શિવભક્તોની ભારે ભીડ સોમનાથ મંદિરમાં આજે દેશભરમાં મહાશિવરાત્રીનો પ્રવ મનાવાઈ રહ્યો છે ત્યારે જાણતી અને પ્રાચીન શિવ ભગવાનના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી છે જો ગુજરાતના સોમનાથની વાત કરીએ તો અહીયા 2 દિવસ પહેલાથી જ રાજ્ય બહારના પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો ત્યારે આજે શિવરાત્રીના […]

સોમનાથ મંદિરની વિશેષ માહિતી,અહીં જાણો

ગીર સોમનાથ જિલ્લામાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ.અહીં મહાદેવના ભક્તો દેશ- વિદેશથી આવતા હોય છે.સોમનાથ મંદિર પર અનેક વાર હુમલા થયાનુ સામે આવેલ છે. આ મંદિર લાખો વર્ષ પહેલાનું છે. આ પૌરાણિક મંદિરને ઈતિહાસમાં ઘણી વખત તોડવામાં આવ્યું હતું,પરંતુ દરેક વખતે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામા આવ્યો હતો.લોકોનું એવું માનવુ છે કે આ મંદિરનો સંબંધ […]

PM મોદીએ સોમનાથમાં કરી પૂજા-અર્ચના – જનસભા સંબોધતા કહ્યું ‘મારા રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલ તોડે તેવું હું ઈચ્છું છું’

PM મોદીએ સોમનાથમાં જનસભા સંબોધી કહ્યું ‘મારા રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલ તોડે તેવું હું ઈચ્છું છું’ અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ શરુ થઈ ચૂકી છે ત્યારે બીજેપી દ્રારા ગુજરાતની જનતાને રિઝવવાના અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે આ શ્રેણીમાં બીજેપીએ જોરદાર ચૂંટણી પ્રચારનું આયોજન કર્યું છે જેમાં ગુજરાતમાં જૂદા જૂદા સ્થળો અનેક બીજેપીના વરિષ્ઠ નેતાઓ જનસભા […]

સોમનાથના સમુદ્રપથ પર હનુમાનજીની 16 ફૂટ ઊંચી પ્રતિમાનું ગૃહમંત્રી અમિત શાહે અનાવરણ કર્યું

વેરાવળઃ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવજીના દર્શન માટે આવતા તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર તથા પ્રવિણભાઇ લહેરી અને સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. સમુદ્ર દર્શન પથ નજીક બીચ પર શ્રી હનુમાનજીની 16 ફૂટની પ્રતિમા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે, જેનું અમિત શાહે અનાવરણ કર્યું હતું. ભારતના […]

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે રવિવારે સોમનાથથી ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે

વેરાવળઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ  આજે 11 સપ્ટેમ્બરને રવિવારે ગુજરાતના  પ્રવાસે આવી રહ્યા છે.. જેમાં અમિત શાહ સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ ગીરસોમનાથ અને અમરેલી જિલ્લાનો પ્રવાસ કરશે. શાહ સોમનાથ મંદિરે દર્શન કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે, ત્યારબાદ અમરેલી જિલ્લાની સાત સહકારી સંસ્થાઓના કાર્યક્રમમાં હાજરી આપશે. તેવો સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code