1. Home
  2. Tag "south gujarat"

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન દ્વારકામાં ગણતરીના કલાકોમાં જ નવ ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયાં છે. હવામાન વિભાગે સુરતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે […]

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલઃ ઉમરગામમાં 12 અને વાપીમાં 10.5 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે.  24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 14 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વલસાડના ઉમરગામમાં 12 ઈંચ અને વાપીમાં સાડા 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે રોડ-રસ્તા અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે નદી-નાળા […]

દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ, જનજીવનને વ્યાપક અસર

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે જનજીવનને વ્યાપક અસર થઈ હતી. ભારે વરસાદને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને વ્યાપક અસર થી છે. દરમિયાન બારડોલીના 10 અને પલસાણાના 4 માર્ગો વાહન-વ્યવહાર માટે બંધ […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

જળાશયોમાં નવા પાણીની સતત આવક અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભની સાથે જ વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો હતો. વલસાડ અને પારડીમાં લગભગ સાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દરમિયાન હવામાન વિભાગ દ્વારા હજુ પાંચ દિવસ ભારેથી […]

દ.ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ તાપીના વાલોડમાં 4.5 ઈંચ અને બારડોલીમાં 4.3 ઈંચ વરસાદ

રાજ્યના 105 તાલુકામાં વરસાદ નોંધાયો સિઝનનો અત્યાર સુધીમાં 13.45 ટકા જેટલો વરસાદ અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ સતત વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 105 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. તાપીના વાલોડમાં 4.5 ઈંચ અને બારડોલીમાં સવા 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગણ […]

રાજ્યમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલઃ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

6 કલાકમાં 42 તાલુકામાં વરસાદ વરસ્યો નવસારીમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ બાદ સતત ત્રીજા દિવસે પણ આજે વરસાદી મહોલ જોવા મળ્યો છે. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન દક્ષિમ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં 6 કલાકના સમયગાળામાં 42 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. નવસારીમાં ધોધમાર વરસાદને પગલે […]

વાવાઝોડાના સંકટ વચ્ચે 8 જિલ્લામાં 95 હજાર લોકોનું સ્થળાંતર, વન્ય જીવોની સુરક્ષાનું પણ આયોજન

અમદાવાદઃ રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાની ગતિમાં છેલ્લા કેટલાક કલાકોમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગતિમાં ઘટાડો આવ્યો હોવાથી વાવાઝોડું હવે ગુરૂવારે રાત્રે 9 થી 10 કલાકની આસપાસ દરિયાકાંઠે ટકરાશે તેવું અનુમાન છે. સંભવિત વાવાઝોડું જ્યારે જમીન સાથે ટકરાશે ત્યારે પવનની ગતિ 115-125 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. […]

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં તા. 9થી 11 જૂન સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ચોમાસુ સિઝનમાં સંભવિત કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા રાજ્ય વહીવટી તંત્ર સજ્જ છે,તેમ SEOC, ગાંધીનગર ખાતે વિવિધ વિભાગો અને સુરક્ષા દળો સાથે વેધર વોચ ગ્રુપની પ્રથમ સમીક્ષા બેઠકમાં રાહત કમિશનર આલોકકુમાર પાંડે જણાવ્યું હતું. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને એસડીઆરએફની 26 જેટલી ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર […]

વાવાઝોડાનું સંકટઃ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડુ ટકરાવવાની શકયતા

અમદાવાદઃ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને રાજ્ય ઉપર વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. આ વાવાઝોડુ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ટકરાશે, તેમજ દરિયો તોફાની બનવાની સાથે 60થી 90 કિમીની ઝડપે પવન ફુંકાશે. બે વર્ષ ગાઉ તાઉતે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. રાજ્ય ઉપર ફરી એકવાર વાવાઝોડાનુ સંકટ તોડાઈ રહ્યું છે જેથી વહીવટી તંત્રને […]

દક્ષિણ ગુજરાતના માર્ગો ઉપર જોવા મળશે નવી એસટી બસ, નવસારીમાં 125 નવી બસનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા 125 નવીન બસોનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે તેમની સાથે નવસારી સાંસદ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજયના તમામ શહેરો અને અંતરિયાળ ગામોને પરિવહન સેવાથી સાંકળી લઇ તેમજ કોઇપણ ગામ પરિવહન સેવાથી વંચિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code