1. Home
  2. Tag "sp"

અયોધ્યામાં કારસેવકો પર ગોળીબારને સપાના નેતા સ્વામીપ્રસાદ મૌર્યે યોગ્ય ઠેરવ્યો!

લખનૌ: અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ પર બની રહેલા ભવ્ય રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી ચાલી રહી છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વામી પ્રસાદ મૌર્યે ફરી એકવાર પોતાના નિવેદનથી જૂના જખ્મોને ખોતરીને ભાજપને નવો મુદ્દો આપી દીધો છે. સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યે કારસેવા દરમિયાન કારસેવકો પર ગોળીબાર કરાવવાને યોગ્ય ગણાવ્યું છે. તેમણે કહ્યુ છે […]

લોકસભા ચૂંટણીઃ I.N.D.I.A માં ઉત્તરપ્રદેશની બેઠકોને લઈને વિવાદ, કોંગ્રેસને 8 બેઠક આપવા અખિલેશ તૈયાર

લખનૌઃ દેશમાં આગમી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપને સત્તામાંથી દુર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળોએ એક ગઠબંધન કર્યું છે. જો કે, આ ગઠબંધનમાં લોકસભા ચૂંટણીની ટીકીટ ફાળવણીને લઈને ખેંચતાણ ચાલી રહ્યાંનું જાણવા મળે છે. વિપક્ષી એકતાદળની આગામી બેઠકમાં બેઠકોની ફાળવણી મામલે ચર્ચા કરવામાં આવશે. તે […]

સપાને મોટો ઝટકો,દારા સિંહ ચૌહાણે આપ્યું રાજીનામું,ભાજપમાં થઇ શકે છે વાપસી

દિલ્હી : નેતા દારા સિંહ ચૌહાણે શનિવારે સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. તેમણે સપામાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ ભાજપ છોડીને સપામાં જોડાયા હતા. દારા સિંહ હાલ દિલ્હીમાં છે. એવી ચર્ચા છે કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં પાછા ફરશે. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા અખિલેશ યાદવે દારા સિંહને સમાજવાદી પાર્ટીમાં સામેલ કર્યા હતા. દારા સિંહ […]

વર્ષ 2024ની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપ તમામ 80 બેઠકો ઉપર હારશેઃ અખિલેશનો દાવો

નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની ભાજપ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે. ભારતીય રાજકારણમાં એવુ મનાઈ રહ્યું છે કે, દિલ્હીનો રસ્તો ઉત્તરપ્રદેશથી જાય છે. જેથી ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં વધારેમાં વધારે બેઠકો જીતવા માટે વિવિધ પાર્ટીઓ પ્રયાસ કરતી હોય છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ભાજપા ઉપર ગંભીર આક્ષેપો કરીને આગામી લોકસભા ચૂંટણીમાં […]

અટલજીની સમાધી ઉપર નમન બાદ રાહુલ ગાંધીએ ફરીથી રાજકીય પંડિતોને ચોંકાવ્યા

નવી દિલ્હીઃ કન્યાકુમારીથી કાશ્મીર સુધી નીકળેલી કોંગ્રેસની બારત જોડો યાત્રા નવા વર્ષમાં નવા સ્વરૂપમાં ઉત્તરપ્રદેશમાં દસ્તક આપશે. 3 જાન્યુઆરીના રોજ યાત્રા ગાઝિયાબાદની લોકની બોર્ડરથી ઉત્તરપ્રદેશમાંથી પ્રવેશશે. રાહુલ ગાંધીની સાથે પદયાત્રામાં સામેલ થવા માટે વિપક્ષના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યાં છે. સપાના પ્રમુખ અખિલેશ યાદવ, બસપાના વડા માયાવતી, આરએલડી અધ્યક્ષ જ્યંત ચૌધરી, સુભાસપાના વડા ઓમ પ્રકાશ […]

સપાના આઝમ ખાનની મુશ્કેલી વધી, હેટ સ્પીચ કેસમાં 3 વર્ષની સજાનો કોર્ટનો આદેશ

લખનૌઃ સમાજવાદી પાર્ટીના સિનિયર નેતા આઝમ ખાનને રામપુરની કોર્ટે હેટ સ્પીચ કેસમાં કસુરવાર ઠરાવ્યાં હતા. ભડકાઉ ભાષણ કેસમાં કોર્ટે સપા નેતાને દોષિત ઠરાવીને ત્રણ વર્ષની સજા ફરમાવી હતી. આઝમ ખાન અને અન્ય 2 આરોપીઓને 3 વર્ષની જેલ અને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કેસની હકીકત અનુસાર આઝમ ખાને વર્ષ 2019માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી […]

લઠ્ઠાકાંડઃ બોટાદ અને અમદાવાદ ગ્રામ્યના એસપીની કરાઈ બદલી, બે ઉચ્ચ પોલીસ અધિકારી સસ્પેન્ડ

અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 50થી વધારે લોકોના મોત થયાં હતા. જ્યારે હજુ અનેક લોકો સારવાર હેઠળ છે. બીજી તરફ સમગ્ર પ્રકરણને લઈને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ સરકાર દ્વારા જવાબદાર મનાતા પોલીસ કર્મચારીઓ સામે કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર લઠ્ઠાકાંડને પગલે ગૃહવિભાગે […]

ઉત્તરપ્રદેશઃ માયાવતીએ મુલાયમ સિંહ યાદવ અને સપા ઉપર કર્યાં આકરા પ્રહાર

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી એકબીજા વિરુદ્ધ ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે. બસપા સુપ્રીમો માયાવતીએ ફરી એકવાર સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે, સપાના સ્થાપક મુલાયમ સિંહ યાદવ ખુલ્લેઆમ ભાજપને મળ્યા છે, બસપાને નહીં. તેમણે 2017માં શપથ ગ્રહણ સમારોહમાં પણ અખિલેશને આશીર્વાદ […]

અખિલેશ યાદવને ઈવીએમ મશીન પર શંકા, SPના કાર્યકરોએ ચૂંટણીપંચની ગાડી રોકી

દિલ્હી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, કાલે મતગણના છે ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને ચૂંટણી પંચની કામગીરી પર શંકા ગઈ છે. મંગળવારે વારાણસી દક્ષિણ સીટના મતગણતરી કેન્દ્રની બહાર સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ એક વાહનને રોક્યું જેમાં ઈવીએમ લઈ જવામાં આવી રહ્યા હતા. તેને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં મોટી […]

ઉત્તરપ્રદેશ વિધાનસભાઃ ભાજપના આ પાંચ મુદ્દા એસપી સહિતના વિપક્ષને ભારે પડશે ?

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ગઈકાલે અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. તેમજ આગામી 10મી માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. વિવિધ એક્ઝિટ પોલમાં ઉત્તરપ્રદેશમાં ફરીથી ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. જો કે, ભાજપને 200થી 250 જેટલી બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે સમાજવાદી પાર્ટીને 100થી 150 જેટલી બેઠકો મળવાનો અંદાજ લગાવાઈ રહ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code