1. Home
  2. Tag "Students"

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મેજર અને માઈનોર વિષયમાં એક સાથે બે કોલેજમાં ભણી શકશે

5માં- છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે મેજર અને માઈનોર વિષયને લઈને સ્પષ્ટતા, મેજર અને માઈનોર વિષય સમાન નહીં રાખી શકાય, ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન તમામ કોલેજોના આચાર્યોને પણ પરિપત્ર કર્યો અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સ્નાતકના અભ્યાસક્રમમાં પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે મેજર અને માઈનોર વિષયને લઈને સ્પષ્ટતાઓ કરી છે. જે મુજબ, […]

ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ હવે એનસીસીમાં ભાગ લઈ શકશે

વિવિધ કોર્સમાં ભણતા 500 વિદ્યાર્થીઓ NSS સાથે જોડાયેલા છે, 105 વર્ષ બાદ વિદ્યાર્થીઓને એનસીસીમાં તાલીમનો અવસર મળશે, વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે  જુલાઈથી તાલીમ કાર્યક્રમ શરૂ થશે અમદાવાદઃ ગાંધીવાદી શૈક્ષણિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં વર્ષોથી ચાલી આવતી પરંપરામાં સમય મુજબ પરિવર્તન આવી રહ્યું છે. ત્યારે હવે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ એનસીસીમાં ભાગ લઈ શકે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. […]

મહારાષ્ટ્રમાં સરકાર પહેલા ધોરણથી વિદ્યાર્થીઓ માટે મૂળભૂત લશ્કરી તાલીમ શરૂ કરાશે

મુંબઈઃ મહારાષ્ટ્રના શાળા શિક્ષણ મંત્રી દાદા ભુસેએ જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર પહેલા ધોરણથી વિદ્યાર્થીઓ માટે મૂળભૂત લશ્કરી તાલીમ શરૂ કરશે. મંત્રી ભુસેએ જણાવ્યું કે, નિવૃત્ત સૈનિકો, રમતગમતના શિક્ષકો, નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના સભ્યો અને સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સની આ તાલીમ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે, આ નિર્ણયનો હેતુ દેશ પ્રત્યે પ્રેમ […]

CBSE ધો.10-12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને પીએમ મોદીએ શુભકામના પાઠવી

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)નું ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે. પ્રધાનમંત્રી મોદીએ ‘એક્ઝામ વોરિયર્સ’ને ભવિષ્યમાં આવનારા દરેક અવસરમાં સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી છે. આ સાથે પરીક્ષામાં સારું પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતી વખતે તેમણે કહ્યું કે, […]

NEET : NMC એ 14 વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કર્યો, 26 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો

નવી દિલ્હીઃ નેશનલ મેડિકલ કમિશન (NMC) એ NEET-UG 2024 માં ગેરરીતિમાં સંડોવાયેલા 26 MBBS વિદ્યાર્થીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપ્યો છે અને પ્રવેશ પરીક્ષા દરમિયાન અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરવા બદલ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે 14 વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કર્યો છે. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) એ એક અખિલ ભારતીય પરીક્ષા છે જેમાં દેશની મેડિકલ […]

ChatGPT નું પ્રીમિયમ વર્ઝન હવે વિદ્યાર્થીઓ માટે મફત, આ સુવિધા ફક્ત યુએસ અને કેનેડામાં ઉપલબ્ધ બનશે

શિક્ષણમાં AI ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે OpenAI એ કોલેજના વિદ્યાર્થીઓ માટે ChatGPT Plus મફતમાં ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે, જોકે આ સુવિધા હાલમાં ફક્ત યુએસ અને કેનેડામાં જ ઉપલબ્ધ છે અને તે ફક્ત મે મહિનાના અંત સુધી જ ચાલશે. આ મર્યાદિત સમયની ઓફર હેઠળ, OpenAI વિદ્યાર્થીઓને GPT-4o, એડવાન્સ્ડ ફાઇલ વિશ્લેષણ અને વૉઇસ ઇન્ટરેક્શન જેવી […]

ખાનગી શાળાઓ EWS શ્રેણીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ના પાડી શકે નહીં: આશિષ સૂદ

નવી દિલ્હીઃ દિલ્હીની 1700 થી વધુ ખાનગી શાળાઓ EWS શ્રેણીમાંથી પસંદ કરેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઈનકાર કરી શકતી નથી. જો ખાનગી શાળાઓ પ્રવેશ આપવાનો ઇનકાર કરશે તો દિલ્હી સરકાર કાર્યવાહી કરશે. પ્રવેશ સંબંધિત બધા દસ્તાવેજો જરૂરી છે દિલ્હી સરકાર શૈક્ષણિક સત્ર 2025-26 માટે આર્થિક રીતે નબળા વિભાગ (EWS) હેઠળ પ્રવેશ માટે 5 માર્ચે લોટરી પ્રક્રિયા […]

અમદાવાદમાં 1.65 લાખ વિદ્યાર્થીઓ ધો-10 અને 12ની પરીક્ષા આપશે

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં ધોરણ 10માં 54,616 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 29, 726 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 7,853 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.એ જ રીતે, અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ધોરણ 10માં 46,6020 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 21,840 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 5,400 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે. ગેરરીતિ અટકાવવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા સંપન્ન […]

વિદ્યાર્થીઓનો પરિશ્રમ અને સમર્પણ ભારતને નવી ઉંચાઇઓ સુધી લઇ જશે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીના ચાણક્યપુરી સ્થિત ગુજરાત ભવનમાં ગુજરાતના ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરના ગ્રામીણ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની સાથે એક પ્રેરક શૈક્ષણિક સંવાદ કર્યો . આ વિશિષ્ટ કાર્યક્રમ આ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક અને પોતાના અનુભવોને શેર કરવા માટેનો એક અનોખો અવસર બન્યો. અમિત શાહે આ પ્રસંગે […]

વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટેનો ઉત્સવઃ NIMCJ આયોજિત મિડીયોત્સવ ૨૦૨૫ની વિવિધ સ્પર્ધાઓમાં રાજ્યભરના વિદ્યાર્થીઓ જોડાશે

અમદાવાદ : નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઇએમસીજે)ના વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓ માટે દર વર્ષે યોજાતા મીડિયોત્સવની બીજી સિઝન, મિડીયોત્સવ ૨૦૨૫નું, ૨૨ ફેબ્રુઆરી શનિવારના રોજ ડો શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ, ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં રાજ્યભરની મીડિયા શિક્ષણ સંસ્થાઓ તથા અન્ય કોલેજોના અંદાજે 300થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લેશે. મીડિયોત્સવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code