1. Home
  2. Tag "Supreme Court"

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈ કોર્ટના આદેશને રદ કર્યો: અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડને ફાળવેલ જમીન પરત લેવાનો આદેશ રદ

મુંદ્રાઃ ગુજરાત સરકારે તા. ૧૫ જુલાઈ ૨૦૦૫ના રોજ નવીનાલ ગામમાં આવેલી ૯,૩૪,૮૨૯ હેક્ટર ગૌચર જમીન અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ (APSEZ)ને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) વિકાસ માટે સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ અવેજની ચુકવણી થયા બાદ ફાળવી હતી. આ જમીનને પછીથી ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા SEZ જમીન તરીકે સૂચિત કરવામાં આવી હતી. વર્ષ […]

સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા નિયમો પર સ્ટે લગાવ્યો

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: UGC નિયમો સામે દેશવ્યાપી વિરોધ વચ્ચે, સુપ્રીમ કોર્ટ જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યા પર UGC નિયમોને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે નવા નિયમો પર રોક લગાવી દીધી છે. આગામી સુનાવણી 19 માર્ચે થશે. યુજીસી નિયમન વિરુદ્ધ અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ફક્ત […]

UGCના નવા નિયમો સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: સમાનતાના અધિકાર પર CJIની મહત્વની ટિપ્પણી

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નિયમો વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારોના વકીલે દલીલ કરી હતી કે આ નવા નિયમો સમાજમાં વિભાજન પેદા કરી રહ્યા છે અને માત્ર અમુક ચોક્કસ જ્ઞાતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને અન્ય નાગરિકોની અવગણના કરી […]

રખડતા કૂતરાઓના ત્રાસ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: કૂતરાના નસબંધી મુદ્દે આકરી ટિપ્પણી

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: દેશમાં રખડતા કૂતરાઓના વધતા ત્રાસ અને તેના ઉકેલ માટેના ‘એનિમલ બર્થ કંટ્રોલ’ (ABC) નિયમો પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અરજદારોની વેદના, વકીલોના સૂચનો અને જજની તીખી ટિપ્પણીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કોર્ટ હાલ માનવ સુરક્ષા અને પ્રાણીઓના અધિકારો વચ્ચે સંતુલન જાળવવા પર વિચાર […]

સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસઃ તમે નામની આગળ શંકરાચાર્ય કેમ લખો છો? સ્પષ્ટતા કરો

પ્રયાગરાજ, 20 જાન્યુઆરી, 2026: Notice to Swami Avimukteswaranand યુપીના પ્રયાગરાજમાં મૌની અમાસના પવિત્ર અવસરે જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને રોકવામાં આવ્યા બાદ સર્જાયેલો વિવાદ હવે વધુ વકર્યો છે. આ મામલે પ્રયાગરાજ મેળા વહીવટીતંત્રે મોડી રાત્રે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને એક કારણદર્શક નોટિસ જારી કરી છે, જેમાં તેમને 24 કલાકની અંદર ખુલાસો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. […]

ન્યાયમૂર્તિ યશવંત વર્માને ફટકોઃ મહાભિયોગ સમિતિની રચનામાં કશું ખોટું નથી

સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધની મહાભિયોગ તપાસ સમિતિને લીલી ઝંડી આપી નવી દિલ્હી, 16 જાન્યુઆરી, 2026: સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ વર્માએ તેમની વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી મહાભિયોગ (Impeachment) પ્રક્રિયા માટે રચાયેલી તપાસ સમિતિની બંધારણીયતાને પડકારી હતી. સુપ્રીમ કોર્ટની મુખ્ય ન્યાયમૂર્તિની અધ્યક્ષતાવાળી બેંચે […]

I-PAC દરોડા પ્રકરણ: પશ્ચિમ બંગાળના DGPને સસ્પેન્ડ કરવાની સુપ્રીમ કોર્ટમાં માંગ

નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ I-PAC ના ઓફિસ અને પ્રતીક જૈનના નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી સર્ચ બાદ શરૂ થયેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પી.કે. મિશ્રા અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે આ મામલે સુનાવણી કરતા કેન્દ્ર સરકાર અને સંબંધિત પક્ષોને નોટિસ ફટકારી […]

‘વિકલાંગ મહિલાને તાત્કાલિક નોકરી આપો,’ સુપ્રીમ કોર્ટે કોલ ઇન્ડિયાને આદેશ આપ્યો

નવી દિલ્હી 14 જાન્યુઆરી 2026: સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 હેઠળ પોતાની અસાધારણ બંધારણીય સત્તાઓનો ઉપયોગ કરીને કોલ ઇન્ડિયાને બહુવિધ વિકલાંગતાથી પીડિત મહિલાને તાત્કાલિક નોકરી આપવાનો આદેશ આપ્યો. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બનેલી બેન્ચે કોલ ઈન્ડિયા લિમિટેડના ચેરમેનને નિર્દેશો જારી કર્યા કે તેમણે આસામના તિનસુકિયામાં માર્ગેરિટા ઓફિસમાં બહુવિધ વિકલાંગતાથી પીડાતી મહિલા માટે […]

રખડતા કૂતરાઓના આતંક પર સુપ્રીમ કોર્ટે પ્રાણીપ્રેમીઓને લીધા આડેહાથ

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: દેશમાં રખડતા કૂતરાઓના વધતા જતા હુમલાઓ અને તેના કારણે થતા મોતના મામલે સુપ્રીમ કોર્ટે મંગળવારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે રહેણાંક વિસ્તારોમાં રખડતા કૂતરાઓના હુમલાથી થતી કોઈપણ ઈજા કે મૃત્યુ માટે નાગરિક સત્તાવાળાઓ (મ્યુનિસિપલ કોર્પોરેશન) અને કૂતરાઓને ખવડાવનારા (ફીડર્સ) બંનેને જવાબદાર ઠેરવી શકાય […]

પ્રદુષણ મામલે સુપ્રીમ કોર્ટે સીએક્યુએમને કર્યા મહત્વના નિર્દેશ

નવી દિલ્હી, 7 જાન્યુઆરી: સર્વોચ્ચ અદાલતે, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ- CAQMને બે અઠવાડિયામાં પ્રદૂષણના તમામ મુખ્ય સ્ત્રોતો ઓળખવા અને તેને તબક્કાવાર ઉકેલવા માટે લાંબા ગાળાની ક્ષેત્રીય કાર્ય યોજનાઓ પ્રસ્તાવિત કરવા નિર્દેશ આપ્યો છે. CJI સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે ગઈકાલે જણાવ્યું કે CAQM એ બધા ક્ષેત્રના નિષ્ણાતોને એક છત નીચે લાવવા જોઈએ, ચર્ચા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code