1. Home
  2. Tag "Supreme Court"

રાષ્ટ્રીય ચંબલ ઘડિયાળ અભયારણ્યમાં ગેરકાયદેસર રેતી ખનન ન અટકતા સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હી, 27 મે 2026: રાષ્ટ્રીય ચંબલ ઘડિયાળ અભયારણ્યમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન સામે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, પર્યાવરણનું સંરક્ષણ માત્ર કોર્ટના દબાણ કે અધિકારીઓના ડરથી ન ચાલી શકે. આ મામલે કડક વલણ અપનાવતા કોર્ટે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સરકારને સંવેદનશીલ વિસ્તારોમાં […]

ચૂંટણીપંચની SIR પ્રક્રિયામાં કશું જ ખોટું નથીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 27 મે 2026: એસઆઈઆરને લઈને સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્વનો નિર્દેશ આપ્યો હતો. સીજેઆઈ સુર્યકાંત અને ન્યાયમુર્તિ વાગચીની બેંચે નિર્દેશ કર્યો હતો કે, ચૂંટણીપંચ પોતાની શક્તિઓનો ઉપયોગ કરી રહ્યું છે. પોતાની શક્તિની બહાર નહીં. પુરી પ્રક્રિયાને સંવિધાનની વિરુદ્ધ કરાર ના કરી શકાય. ચૂંટણીપંચે પોતાના અધિકારીનો ઉપયોગ કર્યો હતો. આ મામલે લંબાણપૂર્વકની સુનાવણી બાદ સુપ્રીમ […]

કોકરોચ જનતા પાર્ટી વિવાદ પર જલ્દી સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

નવી દિલ્હી, 25 મે 2026: સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા ચકચારી ‘કોકરોચ જનતા પાર્ટી’ વિવાદ પર સોમવારે મહત્વની સુનાવણી થઈ હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આ મામલે દાખલ કરાયેલી જનહિત અરજી પર ત્વરિત સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સીજેઆઈએ અરજીકર્તા વકીલને ટકોર કરતા કહ્યું કે, તેઓ આ મુદ્દાને આટલી ભાવનાત્મક (ઈમોશનલ) રીતે ન લે. સુપ્રીમ […]

ત્વિષા શર્મા કેસ: સુપ્રીમ કોર્ટે કહ્યું ઘટના દુર્ભાગ્યપૂર્ણ, નિષ્પક્ષ તપાસ જરૂરી

નવી દિલ્હી, 25 મે 2026: ભોપાલના ચકચારી ત્વિષા શર્મા કેસમાં સોમવારે (25 મે, 2026) સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આ કેસમાં ન્યાયતંત્ર પર લગાવવામાં આવી રહેલા આક્ષેપો અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે મૃતકના સાસુ પૂર્વ જિલ્લા જજ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે […]

NEETપેપર લીક વિવાદમાં સુપ્રીમ કોર્ટે એનટીએ અને કેન્દ્ર સરકારનો ઉધડો લીધો

નવી દિલ્હી, 25 મે 2026: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ-યુજી ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ છે. વર્ષ 2026માં યોજાયેલી આ પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના ગંભીર આક્ષેપો બાદ આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સોમવારે આ મામલે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે પરીક્ષાનું આયોજન કરતી નેશનલ ટેસ્ટિંગ […]

NCERT પુસ્તક પ્રકરણ વિવાદ, સુપ્રીમ કોર્ટે પોતાનો હુકમ પાછો ખેંચ્યો

નવી દિલ્હી, 22 મે, 2026: –  NCERT પુસ્તક પ્રકરણ વિવાદમાં અણધાર્યો યુ-ટર્ન આવ્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે અગાઉ કરેલો પોતાનો હુકમ પાછો ખેંચ્યો છે, એટલું જ નહીં પરંતુ વિવાદાસ્પદ ટિપ્પણીઓ પણ હટાવી દીધી છે. જેને પગલે હવે ન્યાયતંત્ર અંગેનું પ્રકરણ લખનાર ત્રણે વિદ્વાન પ્રાધ્યાપકોને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે NCERTના ધોરણ 8ના ન્યાયતંત્ર પરના […]

સુખી અને સંપન્ન લોકોએ હવે સ્વેચ્છાએ અનામતમાંથી બહાર નીકળી જવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 22 મે 2026: દેશમાં અનામત અને સામાજિક ગતિશીલતાના મુદ્દે સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ટિપ્પણી કરી છે. પછાત વર્ગોમાં ‘ક્રીમી લેયર’ ને મળતા અનામતના લાભો સાથે જોડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે સવાલ ઉઠાવ્યો છે કે, જે પરિવારોએ શિક્ષણ અને આર્થિક ક્ષેત્રે પ્રગતિ કરી લીધી છે, શું તેમના બાળકોને […]

જાતિ આધારિત વસ્તી ગણતરી મામલે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

આ સરકારનો નીતિગત મામલોઃ કોર્ટે નોંધ્યું નવી દિલ્હી, 20 મે 2026: સુપ્રીમ કોર્ટે બુધવારે જાતિ આધારિત વસ્તી ગણતરી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જાતિગત વસ્તી ગણતરી એ સરકારનો નીતિગત વિષય છે અને કોર્ટ આવા વહીવટી નિર્ણયોમાં દખલગીરી કરી શકે નહીં. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા […]

સુપ્રીમ કોર્ટ તરફથી શ્વાનપ્રેમીઓને ઝટકો: અગાઉના આદેશમાં ફેરફારની માગ કરતી અરજી ફગાવી

નવી દિલ્હી, 19 મે, 2026: દેશમાં શ્વાન કરડવાના (ડૉગ બાઇટ) વધતા જતા બનાવો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે જાહેર સ્થળો પરથી રખડતા શ્વાનોને હટાવવાના પોતાના અગાઉના નિર્ણયને યથાવત રાખ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે શ્વાનપ્રેમીઓ (ડૉગ લવર્સ) દ્વારા દાખલ કરવામાં આવેલી એ અરજીને સદંતર ફગાવી દીધી છે, જેમાં શાળા, કોલેજ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન અને […]

મંદિરોના પૂજારીઓના વેતન માટે કમિશન બનાવવાની અરજી પર સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

નવી દિલ્હી, 18 એપ્રિલ 2026: સુપ્રીમ કોર્ટે સોમવારે એ જનહિત અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેમાં રાજ્ય સરકારોના નિયંત્રણ હેઠળના મંદિરોના પૂજારીઓ, સેવાદારો અને અન્ય કર્મચારીઓના વેતન તથા સુવિધાઓની સમીક્ષા કરવા માટે ન્યાયિક આયોગ અથવા નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી હતી. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code