1. Home
  2. Tag "Surendranagar District"

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજચોરી સામે દરોડા, 98 ચોરીના કેસ પકડાતા 28 લાખનો દંડ કરાયો

સુરેન્દ્રનગરઃ રાજ્યભરમાં વીજળી ચોરી સામે સરકારની માલિકીની ચારેય વીજ કંપનીઓએ ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં સરેન્દ્રનગર  જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજચોરી ડામવા કાર્યવાહી હાથ ધરી હતી. વીજ ચેકિંગ સ્કવોર્ડની  34 ટીમોએ ધ્રાંગધ્રા, પાટડી, દસાડા, બાવળી, રાજસીતાપુર વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં 655 કનેકશન તપાસમાં 98માં વીજચોરી જણાતા 28 લાખનો દંડ ફટકારાયો હતો. જિલ્લામાં વીજ ચોરીનું […]

સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈની સુવિધા વધતા જીરૂનું 17289 અને ધાણાનું 25905 હેકટરમાં વાવેતર

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં મોટાભાગના વિસ્તારોને નર્મદાના કેનાલ થકી સિંચાઈનો લાભ મળતો હોવાથી હવે ખેડુતો અન્ય પાક તરફ વળ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્તમ ગુણવતાના કપાસની દેશ વિદેશમાં પણ માગ છે. ત્યારે ખાસ કરીને શિયાળુ પાકમાં ઝાલાવાડ પંથક જીરૂના પાક માટે જાણીતો છે. પરંતુ આ વર્ષે શિયાળુ વાવેતરની પેટર્ન બદલાઇ છે. કારણ કે દર વર્ષે જિલ્લામાં જીરૂ અને […]

સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં માત્ર બે મહિના ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ગત ચોમાસા દરમિયાન સારોએવો વરસાદ પડવાથી મોટાભાગના જળાશયો છલોછલ ભરાઈ ગયા હતા. કેટલાક જળાશયો સૌની યોજનામાં નર્મદાના નીરથી ભરવામાં આવે છે. પરંતુ કેટલાક નાના ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના ગામોમાં નર્મદાનું પાણી પાઈપલાઈન દ્વારા આપવામાં આવતું હોવાથી ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા ઊભી નહીં થાય, પરંતુ સિંચાઈના પ્રશ્ને ખેડુતોના […]

ઝાલાવાડ પંથકમાં કપાસનું મબલખ ઉત્પાદન, જિલ્લાના આઠ યાર્ડ્સમાં કપાસની ધૂમ આવક

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંછકમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું સારૂ એવું ઉત્પાદન થયું છે. જેમાં કપાસનું રેકોર્ડબ્રેક ઉત્પાદ થયું છે.  સુરેન્દ્રનગર જિલ્લો સમગ્ર દેશમાં કપાસના ઉત્પાદનમાં સારી નામના ધરાવે છે. અને જિલ્લામાં કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે. વર્તમાન સમયે નવા કપાસની આવક ચાલુ થઇ ગઇ છે. ત્યારે દિવાળી બાદ મંગળવારથી […]

ઝાલાવાડ પંથકમાં સમયાંતરે પડતા વરસાદને લીધે કપાસના તૈયાર થયેલા પાકને નુકશાન

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં આ વખતે કપાસનું રેકોર્ડબ્રેક વાવેતર થયું હતું. અને શરૂઆતથી માફકસરના વરસાદને લીધે કપાસનો પાક સારોએવો ફાલ્યો છે. જેના લીધે ખેડુતો પણ ખૂશખૂશાલ હન્યા હતા. ત્યાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદના સમયાંતરે વરસાદના ભારે ઝાપટાં પડી રહ્યા હોવાથી કપાસના તૈયાર થયેલા પાકને નુકશાન થઈ રહ્યું છે. ખેડુતો હવે મેઘરાજાને વિદાય માટે વિનવી રહ્યા છે. […]

સુરેન્દ્રનગર જિલ્લાના વન કર્મચારીઓ પડતર પ્રશ્નેના ઉકેલ માટે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના વન વિભાગનાં વનપાલ, વનરક્ષક સહિતનાં કર્મચારીઓ ગ્રેડ-પે, રજા પગાર, પોલીસને આપવામાં આવેલા લાભો જેવા લાભો વન વિભાગનાં કર્મચારીઓને આપવા વિગેરે જેવી પડતર માંગણીઓના ઉકેસ માટે  અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. જિલ્લાનાં 200થી વધુ વનકર્મચારીઓ આ હડતાળમાં જોડાતા  જંગલો, ઘાંસની વીડીઓ, ઘુડખર અભ્યારણ્ય હાલમાં રેઢા થઈ ગયા છે. ત્યારે વન કર્મચારીઓનાં પ્રશ્નોનું […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડુતોએ સારા ભાવ મળવાની આશાએ 4 લાખ હેક્ટર જમીનમાં કર્યું કપાસનું વાવેતર

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પર મેઘરાજા મહેરબાન થયા હોય તેમ સારોએવો વરસાદ પડ્યો છે. જિલ્લામાં ચોમાસાના આગમન પહેલા જ ખેડૂતોએ આગોતરા વાવેતરથી વાવેતરની શરૂ કરી દીધી હતી. જિલ્લામાં તા. 8ઓગસ્ટ સુધીમાં સિઝનનો 55 ટકા વરસાદ વરસ્યો છે. તેની સામે ખેડૂતોએ 92 ટકા જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરી દીધુ છે. જિલ્લામાં 6,24,546 હેકટર જમીન વાવેતર લાયક છે. જેમાંથી […]

ઝાલાવાડ પર મેઘરાજા થયા મહેરબાન, વઢવાણમાં બે કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં પણ મેઘરાજા મહેરબાન થયા હોય તેમ સાર્વત્રિક વરસાદ પડ્યો છે.ચોમાસા દરમિયાન અત્યાર સુધી પ્રમાણમાં ઓછો વરસાદ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવાર સવારથી મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. સમગ્ર જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. વઢવાણમાં બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આ સિવાય ધ્રાંગધ્રામાં સાડા ત્રણ ઇંચ, લીંબડીમાં […]

સુરેન્દ્રનગર જિલ્લાના 24 સ્થળોએ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, કલેક્ટરનું જાહેરનામું

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં 24 સ્થળોએ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ અગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લામાં આવેલા કુલ-24 પ્રતિબંધિત વિસ્તારોની સુરક્ષા જાળવવી જરૂરી જણાતા પોલીસ અધિક્ષકના પત્ર સાથેની યાદી મુજબના જિલ્લામાં આવેલા કુલ-24 પ્રતિબંધિત વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ ડ્રોન નહી ઉડાવવા “નો ડ્રોન” ઝોન જાહેર કરવામાં […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરરીતિ પ્રકાશમાં આવતા 27 રેશનિંગની દુકાનોના લાયસન્સ રદ કરાયા

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રેશનિંગના કેટલાક દુકાનદારો દ્વારા કરાતી ગેરરીતિ પ્રકાશમાં આવતા 27 જેટલાં દુકાનદારોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. આ કૌભાંડમાં પુરવઠા વિભાગનો આઉટસોર્સથી કામ કરતો કારકૂન પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. જે ગ્રાહકો અનાજ લેવા માટે આવતા નહતા તેમના નામે ઓટીપી પાડીને કૌભાંડ આચરવામાં આવતું હતું. આ મામલે અનેક ફરિયાદો ઊઠી હતી. પરંતુ જિલ્લાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code