1. Home
  2. Tag "talala"

વાતાવરણમાં આવેલા ફેરફારને પગલે ગીરની પ્રખ્યાત કેસર કેરી પર ખરણનું સંકટ

અમદાવાદઃ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કેરી રસિકો કેરીની રાહ જોતા હોય છે. ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીનું બજારમાં આગમન થવા જઈ રહ્યું છે. પરંતું બદલાતા વાતાવરણના કારણે કેરીમાં ખરણ આવ્યું છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખરણ એટલે કે આંબા પરથી મધ્યમ કદની કેરી ખરવા લાગી છે. સાથોસાથ વેજીટેટિવ ગ્રોથ આવવા થી નવી […]

ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર મેંગોના રિસર્ચ સેન્ટરએ કેરીને સાચવવા નવી ટેકનોલોજી વિકસાવી

અમદાવાદ: ગીરની કેસર કેરી વિશ્વ વિખ્યાત છે. કેસર કેરીની માવજત પણ જરૂરી છે. તાલાળા ખાતે ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર મેંગોના રિસર્ચ સેન્ટર ખાતે કેસર કેરીમાં રોગ ન લાગે તે માટે સરળ તેમજ સસ્તી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે.આ ટેક્નિક મુજબ કેસર કેરી જ્યારે નાની ખાખડી સ્વરૂપે હોય અને ઈંડા આકારની બને ત્યારથી જ કેરીના […]

તલાલા તાલુકામાં તરખાટ માચાવ્યા બાદ ત્રણ દીપડાં આખરે પાંજરે પુરાયા, ખેડુતોમાં હાશકારો

તલાળાઃ સૌરાષ્ટ્રમાં જુદા જુદા વિસ્તારોમાં દીપડાંના ત્રાસની ફરિયાદો ઉઠતી હોય છે. છેલ્લા મહિનાઓથી ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં હિંસક દીપડાઓ આવી ચડી રંઝાડ કરી રહ્યા હોવાની ફરીયાદો વન વિભાગને મળતા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં છેલ્લાં બે દિવસથી ગીર પંથકના બે ગામોમાંથી ત્રણ હિંસક દીપડાઓ પાંજરે પુરાતા ખેડુતો અને ગ્રામીણ પ્રજામાં રાહતની લાગણી […]

તલાલા તાલુકાના ચાર ગામના લોકો પ્રાથમિક સુવિધાના પ્રશ્ને ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે

તાલાલાઃ  તાલુકાના ગીર જંગલની બોર્ડરનાં છેવાડાનાં ચાર ગામો વાડલા, જાવંત્રી, પાણીકોઠા અને લીમધ્રાના ગ્રામજનોએ વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કારનો નિર્ણય લીધો છે. ચાર ગામના લોકોએ પ્રાથમિક સુવિધાઓથી પડતી હાલાકી અંગે તાલાલા મામલતદારને આવેદન આપતા વહિવટીતંત્ર અને ચૂંટણી પંચ દોડતું થઈ ગયું હતું. તાલાલાનાં વાડલા ગામનું મુખ્ય મથક આંકોલવાડી હોય વાડલાના ગ્રામલોકો રોજ-બરોજની જરૂરીયાતનો સામાન ખરીદવા આંકોલવાડી […]

ગીર સોમનાથના તલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો,તીવ્રતા 4.0 નોંધાઈ

તલાલામાં ભૂકંપના આંચકા  તીવ્રતા 4.0 નોંધાઈ નુકસાની અને જાનહાનિના કોઈ અહેવાલ નહીં  રાજકોટ :ગુજરાતના ગીર સોમનાથના તાલાલમાં સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 13 કિલોમીટર દુર હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ભૂકંપની જંગલ વિસ્તારમાં વધુ અસર થઇ છે. જો કે નુકસાનના હજું સુધી કોઇ અહેવાલ નથી. જૂનાગઢના […]

તાલાલાની કેસર કેરી સમુદ્ર માર્ગે હવે ઇટાલી પહોંચશેઃ 14 ટન કેરી મુંદ્રા બંદરેથી રવાના થઇ

તાલાલા ગીરઃ  સોરઠ પંથકની મીઠી મધુર ગણાતી કેસર કેરી પ્રથમ વખત સમુદ્રમાર્ગે ઇટાલી દેશમાં પહોંચશે. મુંદ્રા બંદરેથી 14 ટન અર્થાત 15 હજાર બોક્સ ભરેલું જહાજ રવાના થયું છે અને લગભગ 25 દિવસે ઇટાલી પહોંચશે. તલાલા યાર્ડના સૂત્રોએ જણાવ્યુ હતું કે, માર્કેટ યાર્ડ સંચાલિત વિરપુર ગીર સ્થિત પેક હાઉસ નિકાસમાં ખૂબ મદદરુપ થઇ રહ્યું છે. 2010માં […]

ગીર સોમનાથના તાલાલામાં 5 કલાકમાં જ ભૂકંપના 15 હળવા આંચકા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા આવે છે. દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી ગીર સોમનાથમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધ્યું છે. દરમિયાન રાતના માત્ર પાંચ કલાકમાં જ ભૂકંપના હળવા પાંચ આંચકા આવતા ગીર સોમનાથની જનતામાં ફફડાટ ફેલાઈ ગયો છે. જો કે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ મોટી જાનહાની થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code