નેપાળના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન ટોપ બહાદુર રાયમાઝીને ચાર વર્ષની જેલની સજા
કાઠમંડુ, 16 જુલાઈ 2026: એક અદાલતે નેપાળના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન ટોપ બહાદુર રાયમાઝીને ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. લોકોને ભૂતાની શરણાર્થી તરીકે રજૂ કરીને અમેરિકા મોકલવાના કૌભાંડમાં તેઓ દોષિત સાબિત થયા હતા. ભૂતપૂર્વ ગૃહમંત્રી બાલ કૃષ્ણ ખાંડને પણ બે વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. આ કેસ ‘નકલી ભૂતાની શરણાર્થી કૌભાંડ’ તરીકે ઓળખાય છે. […]


