1. Home
  2. Tag "two days"

પોલીસ સ્ટેશનના અધિકારી હવે સોમવારે અને મંગળવારે લોકોની રજુઆતો સાંભળશે

મુખ્યમંત્રીની સુચના બાદ ગૃહ વિભાગે કર્યો નિર્ણય, પોલીસ અધિકારી બન્ને દિવસ લોકોને મુલાકાત આપશે, સ્થાનિક સમસ્યાનું સ્થળ પર જ નિરાકરણ કરાશે ગાંધીનગરઃ રાજ્યના દરેક પોલીસ સ્ટેશનોમાં નાગરિકો પોલીસને લગતા પ્રશ્નોની રજુઆત માટે જાય ત્યારે પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ મળતા ન હોવાથી નાગરિકોને ધક્કા ખાવા પડતા હતા. આથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી […]

પાલનપુરમાં કાલે સોમવારથી બે દિવસ ધરોઈ પાઈપલાઈન મરામતને લીધે પાણી પુરવઠો બંધ રહેશે

પાલનપુરઃ શહેરમાં કાલે સોમવારથી બે દિવસ પાણી પુવઠા વિતરણમાં વિક્ષેપ સર્જાશે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા 22 જુલાઈ અને 23 જુલાઈએ ધરોઈ પાઇપલાઇન અને પમ્પિંગ મશીનરીની મરામત કામગીરી હાથ ધરાશે જેને લઇ બે દિવસ પાણી કાપ માટે પાલનપુર નગરપાલિકાને જાણ કરવામાં આવી છે. પાલનપુર પાણી પુરવઠા વિભાગે નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને […]

ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન બે દિવસ બંધ રહેશે

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોની ભારે ભીડ પહોંચી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. દરમિયાન, ઉત્તરાખંડ સરકારે ચાર ધામ યાત્રા માટે નોંધણી કાર્ય 2 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ 27 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મંગળવાર, 14 મે, 67965 […]

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે બ્રેઈનડેડ દર્દીઓનું અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં બે અંગદાન થયા છે. ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસે અને સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસે થયેલ બે અંગદાનથી પાંચ જરૂરીયાતમંદોને નવજીવન મળ્યું છે. આ બે અંગદાનમાં મળેલ ચાર કિડની અને એક લીવરને જરુરીયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરીને દર્દીનું જીવન કાર્યક્ષમ બનાવવામાં સફળતા મળી છે. સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૩૦ માં અંગદાનની વિગતો […]

ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઉ.ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ ગુજરાત ઉપર હાલ બે વરસાદી સિસ્ટિમ સક્રિયા હોવાનું જાણવા મળે છે જેના પરિણામે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદી આગાહી કરવામાં આવી હતી. એટલું જ નહીં ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર હવામાન વિભાગની પાંચ દિવસ વરસાદની […]

PM મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે, વિવિધ યોજનાઓના ઉદ્ધાટન અને ખાતમૂહુર્ત કરશે

અમદાવાદઃ  વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તા.29મી સપ્ટેમ્બરથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. આજે સવારે લગભગ 11 વાગ્યે,  વડાપ્રધાન સુરતમાં 3400 કરોડ રૂ.થી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન ભાવનગર જશે. ત્યાં બપોરે લગભગ 2 વાગ્યે, રૂ. 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી પહેલોનું શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે.ત્યારબાદ આજે સાંજે […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના દીવના પ્રવાશે જશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસના દીવના પ્રવાસે જવાના છે. દીવના પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મ્યુઝીયમમાં ફેરવાયેલા ખુખરી યુદ્ધ જહાજનું પણ લોકાર્પણ કરશે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ 11 અને 12 જૂને કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમન અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બે દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સ યોજાશે

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર અને હાઇકોર્ટના ન્યાયાધીશોના માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડીશીયલ કોન્ફરન્સનું ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ 9 અને 10 એપ્રિલ, 2022ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા કોલોનીના ટેન્ટ સીટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ભારતના મુખ્ય ન્યાયાધીશ  એન.વી.રમણ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. […]

રાજયમાં હજુ બે દિવસ સામાન્ય માવઠું અને ત્યારબાદ કડકડતી ઠંડીનો શરૂ થશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, તે બીજીબાજુ વાતાવરણમાં પલટો આવતા ભર શિયાળે ચામાસા જેવો માહોલ ઊભો થયો છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 61 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. પલટાયેલુ વાતાવરણ વાયરલ બીમારીઓ પણ વકરાવશે એવું લાગી રહ્યુ છે. રાજ્યમાં એકતરફ કોરોનાના આંકડા સતત વધી રહ્યા છે તો […]

ગુજરાતમાં બે દિવસમાં 63 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસ કાર્યોની દેશ-દુનિયાએ નોંધ લીધી છે. વિકારની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં સરકાર દ્વારા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોનું માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વડોદરા, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં 62.59 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 11 જેટલા વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે. આવતીકાલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code