1. Home
  2. Tag "unseasonal rains"

ભર ઉનાળે છોટા ઉદેપુર, માંડવી, ઉંમરપાડા, આણંદ, ભાવનગર સહિત કેટલાક વિસ્તારોમાં માવઠું

અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે માવઠાએ આફત સર્જી છે. શુક્રવારે રાજ્યના છોટા ઉદેપુર ખેડા, નવસારી, આણંદ, ભાવનગર, સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. જેમાં માંડવી-ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું પડવાની આગાહી કરી છે. ગુજરાતમાં 13મીથી 15મી એપ્રિલ દરમિયાન વાતાવરણમાં પલટો આવ્યા બાદ […]

ભર ઉનાળે ગીર પંથક, અમરેલી અને કચ્છ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડુતો ચિંતિત

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં શનિવારે ભર ઉનાળે માવઠું પડતા વાતાવરણાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગે 13મી, 14મી અને 15મી એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. ત્યારે શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે કેરી સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યના હવામાન […]

બનાસકાંઠામાં માવઠાથી ખેતરોમાં ભરાયાં પાણી, રાયડો. જીરૂ, બટાકા સહિતના પાકને નુકસાન

અમદાવાદઃ ઉનાળાના આગમનને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે વાતાવરણમાં આવેલા પલટા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠું પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. માવઠાને લીધે ખેતિપાકને નુકસાન થયું છે. બનાસકાંઠામાં શનિવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. વરસાદી ઝાંપટા પડતા ખેડૂતોના તૈયાર પાકો બટાકા રાયડો એરંડા જીરુ ઇસબગુલ સહિતના પાકોને નુકશાન થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા […]

ગુજરાતઃ માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. 6800ની સહાય ચુકવાશે

અમદાવાદઃ રાજ્યમાં બે દિવસ વરસેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયાની ભીતી સેવાઈ રહી છે. બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચુકવવાનો નિર્ણય કરાયો છે અને સર્વેના આદેશ કરવામાં આવ્યાં છે. દરમિયાન આજે મંગળવારથી સર્વેની કવાયતને શરુ કરવામાં આવી છે. દરમિયાન ખેડૂતોને એસડીઆરએફ નિયમ પ્રમાણે બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઢ રૂ. 6800ની સહાયની […]

બનાસકાંઠામાં કમોસમી વરસાદને લીધે કપાસ, વરિયાળી અને એરંડા સહિત ખેતીપાકને નુકશાન

પાલનપુરઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ગુજરાતમાં સર્જાયેલી માવઠાની આફત સમી ગઈ છે, પણ શનિવાર અને રવિવારે પડેલા માવઠાએ કેટલાક વિસ્તારોમાં કૃષિપાકને નુકશાન પહોંચાડ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ખેતી પાકમાં નુકસાન થયું છે. માવઠાથી  એરંડા, કપાસ, વરીયાળી જેવા પાકોમાં ભારે નુકસાન થયું  હોવાનું ખેડુકો કહી રહ્યા છે. જિલ્લાના અમીરગઢ તાલુકાના ખેડૂતોએ એરંડાની ખેતી કરી હતી, […]

ગુજરાતઃ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકશાન અંગે સર્વે કરાશે

અમદાવાદઃ કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન ગઈકાલે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતરમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થયું છે. દરમિયાન ખેડૂતોને મદદ કરવાની દિશામાં કવાયત તેજ કરી છે. તેમજ ખેડૂતોના પાકને થયેલા નુકશાનીનો સર્વે કરવાનો આદેશ કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ […]

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને લીધે કાચી ઈંટો ધોવાઈ જતાં બ્રિક ઉદ્યોગને થયું નુકશાન

ભાવનગરઃ ગોહિલવાડ પંથકના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદને લીધે ઈંટ ઉદ્યોગને સારૂએવું નુકશાન થયું છે. ઈટો પાડવાની સીઝન શરૂ થયા બાદ ભાવનગર જિલ્લા સીદસર, વાળુકળ, ચિત્રા, નવાગામમાં જુદા-જુદા સ્થળોએ કાચી ઈટોનો જથ્થો તૈયાર કરીને રખાયો હતો, ત્યાં જ કમોસમી વરસાદનાં કારણે તૈયાર કાચી ઈટો ધોવાઈ જતા ઉત્પાદકોને નુકસાની સહન કરવા સાથે મહેનત ઉપર પાણી ફરી વળ્યું […]

રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી, 4 અને 5મી એપ્રિલે કમોસમી વરસાદ વરસશે

અમદાવાદઃ રાજ્યામાં તાજેતરમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો. જો કે, હવે ઉનાળો ચાલતો હોય તેવી અનુભવી થઈ રહી છે અને બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ જોવા મળશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી વધશે. હજુ પણ 2થી4 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે. જો કે, હવામાન વિભાગે ફરી એકવાર […]

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઈસબગુલ સહિત ખેતીપાકને નુકશાન,

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં માવઠાએ ખેડુતોની હાલત કફોડી બનાવી દીધી છે. સુરેન્દ્રનગર  જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં ત્રણવાર વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત અને આશા પર પાણી ફેરવી દીધું છે.  જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ અને આસપાસના ગામોમા અંદાજે પાંચ હજાર વીધા કરતા વધુ જમીનમાં ઇસબગુલનું વાવેતર કરવામાં આવ્યું હતુ. પરંતુ કમોસમી વરસાદે પાકનો સોથ વાળી દેતા ખેડુતોની હાલત […]

જસદણ પંથકમાં માવઠાએ દાટ વાળ્યો, ઘઉં સહિતના પાકને નુકસાન થતાં ખેડુતોની દયનીય સ્થિતિ

રાજકોટઃ ગુજરાતમાં ફાગણની વિદાય અને ચૈત્રના આગમન ટાણે જ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થતાં ખેતીપાકને સારૂએવું નુકશાન થયું છે. જસદણ પંથકમાં  રવિવારે સાંજે અડધાથી દોઢ ઈંચ જેટલો કમોસમી વરસાદ ખાબક્યો હતો. તેથી ખેતરોમાં ઉભા પાકને ભારે વરસાદથી નુકસાન પહોંચ્યું હતું. કપાસ, જીરૂ, ઇસબગુલ સહિતના ઊભા પાકનો સોથ વાળી દીધો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં  ફાગણ મહિનાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code