1. Home
  2. Tag "uttar pradesh"

રાજ્યસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીને ઝટકો, વિધાનસભાના મુખ્ય દંડક મનોજ પાંડેએ આપ્યું રાજીનામું

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજ્યસભાની 10 બેઠકો માટે આજે વિધાનસભામાં મતદાન ચાલી રહ્યું છે. રાજ્યસભા ચૂંટણીના મતદાન પહેલા સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને મોટો ઝટકો લાગ્યો હતો. તેમના વિશ્વાસુ, પક્ષના નેતા અને વિધાનસભામાં મુખ્ય દંડક મનોજ પાંડેએ રાજીનામું આપીને પક્ષમાં ચાલી રહેલી આંતરકલહ અને નારાજગી સ્પષ્ટ કરી દીધી છે. મનોજ પાંડે છેલ્લા […]

રાજ્યસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશની 10 સહિત કુલ 15 બેઠક માટે મતદાન

નવી દિલ્હીઃ આજે 3 રાજ્યોની 15 રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. જેમાં ઉત્તરપ્રદેશની 10 કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની 1 બેઠકનો સમાવેશ થાય છે. ઉત્તપ્રદેશની 10 બેઠકો માટે 11 ઉમેદવાર મેદાને છે, જેમાં સમાજવાદી પાર્ટીએ જય બચ્ચન, રામજીલાલ સુમન અને નિવૃત IAS આલોક રંજનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેની સામે ભારતીય જનતા પાર્ટીએ પોતાના […]

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી-કૉંગ્રેસ ગઠબંધનનું કારણ મુસ્લિમ વોટબેંક?

નવી દિલ્હી: કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ચુકી છે. ઉત્તરપ્રદેશની કુલ 80 લોકસભા બેઠકોમાંથી 17 પર કોંગ્રેસ અને બાકીની બેઠકો પર અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને તેના નાના સાથીપક્ષો ચૂંટણી લડશે. જો કે સમાજવાદી પાર્ટી મહિનાઓથી દાવો કરી રહી હી કે કોંગ્રેસ, ઉત્તરપ્રદેશમાં મજબૂત નથી. માટે તેને તે હિસાબથી બેઠકો માંગવી […]

રામાયણને લઈને વિવાદીત ટીપ્પણી કરનારા સ્વામી પ્રસાદ મૌર્યે સમાજવાદી પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

લખનૌ: સ્વામી પ્રસાદ મૌર્યે સમાજવાદી પાર્ટી સાથેના પોતાના સંબંધોને સંપૂર્ણપણે તોડી નાખ્યા છે. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પદેથી 13 ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યું હતું. મંગળવારે તેમણે પાર્ટીની પ્રાથમિક સદસ્યતા અને એમએલસી પદેથી પણ રાજીનામું આપ્યું છે. આના પહેલા અખિલેશ યાદવે સોમવારે આપેલા નિવેદનને ટાંકીને સ્વામી પ્રસાદ મૌર્યે કહ્યુ હતુ કે અખિલેશની સરકાર ન તો કેન્દ્રમાં છે […]

લાલબહાદૂર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસને કર્યું બાય-બાય, સપ્તાહમાં 3 નેતાઓએ કોંગ્રેસ છોડી

નવી દિલ્હી: દર વખતની જેમ આ વખતે પણ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં દોડધામ છે. એક પછી એક નેતાઓ પાર્ટીને આવજો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ બાદ હવે પૂર્વ વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે સોશયલ મીડિયા મંચ એક્સ પર પોસ્ટ દ્વારા આની જાણકારી આપી. વિભાકર શાસ્ત્રીએ […]

દેશમાં સૌથી વધારે કોલેજ ઉત્તર પ્રદેશમાં, દર એક લાખની વસ્તીએ 30 કોલેજ

લખનૌઃ સરકારના અખિલ ભારતીય સર્વે મુજબ, ઉત્તર પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે દેશમાં સૌથી વધુ કોલેજો છે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કોલેજ આવેલી છે. શિક્ષણ મંત્રાલય દ્વારા AISHE સર્વે જાહેર કરવામાં આવ્યો છે. ભારતમાં કોલેજોની સંખ્યાના સંદર્ભમાં ટોચના 10 રાજ્યોમાં રાજસ્થાન, તમિલનાડુ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત, તેલંગાણા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે, જેમાં એક લાખની વસ્તી […]

ઉત્તરપ્રદેશમાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 12 વ્યક્તિના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરના જલાલાબાદ વિસ્તારમાં ઝડપે પસાર થતી ટ્રકે ઓટોરિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર માતા અને દીકરા સહિત 12 વ્યક્તિોના કરુણ મોત થયા હતા. અકસ્માતનો ભેગ બનેલા લોકો ઓટોરિક્ષામાં પોષ પૂનમ નિમિત્તિ ગંગાસ્નાન કરવા જઈ રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. મૃતકોમાં એક બાળક અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ગંભીર હતો […]

ઉત્તરપ્રદેશઃ પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવની પુત્રવધુ અપર્ણા યાદવ બન્યા રામમય, વીડિયો થયો વાયરલ

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશ રામમય બન્યો છે. દરમિયાન ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની પુત્રવધુ અપર્ણા યાદવનો રામ ભક્તિનો વીડિયો સામે આવ્યો છે. અપર્ણા યાદવએ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે, જેઓ તેઓ ભગવાન શ્રી રામજીનું ભજન ‘સિયારામ જય જય રામ…..’ ગાતા જોવા […]

ઉત્તરપ્રદેશમાં મદરેસાના શિક્ષકોને આપવામાં આવતા વધારાના માનદ વેતનને બંધ કરવાનો નિર્ણય

લખનઉઃ કેન્દ્ર બાદ હવે યોગી સરકારે પણ મદરેસા શિક્ષકોને મહત્વનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે મદરેસાના શિક્ષકોના માનદ વેતન બંધ કરવાનો નિર્ણય લીધો છે. મદરેસા આધુનિકીકરણ યોજના હેઠળ, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. સ્નાતક પાસ શિક્ષકોને 6000 રૂપિયા અને અનુસ્નાતક શિક્ષકોને દર મહિને 12000 રૂપિયાનું માનદ […]

ઉત્તરપ્રદેશમાં હવે સગીર સંતાનો વાહન હંકારશે તો માતા-પિતાને જવુ પડશે જેલ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં, હવે 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરો માટે 2 વ્હીલર અને 3 વ્હીલર વાહનો ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો પરિવારના કોઈપણ સભ્ય તેમના સગીર બાળકોને વાહન ચલાવવા માટે આપશે તો તેમને 3 વર્ષની જેલની સજા અને રૂ. 25,000ના દંડની સજા થશે. આ આદેશ ઉત્તર પ્રદેશ ટ્રાન્સપોર્ટ ટ્રાફિક ઓફિસ દ્વારા માધ્યમિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code