1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડના ઊંચા વિસ્તારોમાં બરફવર્ષા, ઠંડીમાં વધારો થશે

નવી દિલ્હીઃ હવામાનમાં અચાનક ફેરફાર થતાં, ઉત્તરાખંડના ઊંચા વિસ્તારોમાં બરફવર્ષા થઈ, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો. બદ્રીનાથ, હેમકુંડ સાહિબ અને ફૂલોની ખીણ સહિતના ઊંચાઈવાળા પ્રદેશો બરફથી ઢંકાઈ ગયા હતા. દરમિયાન, મેદાની વિસ્તારોમાં ઘણી જગ્યાએ રાતોરાત વરસાદ પડ્યો, કેટલાક સ્થળોએ વાવાઝોડા અને કરા પડવાના અહેવાલો છે. હવામાન વિભાગે આજે 2,800 […]

ઉત્તરાખંડઃ ચમોલીમાં ઊંચાઈવાળા વિસ્તાર માટે હિમસ્ખલનની ચેતવણી જાહેર કરાઈ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના સરહદી જિલ્લા ચમોલીમાં ત્રણ હજાર મીટરની ઊંચાઈએ આવેલા વિસ્તારોમાં હિમસ્ખલનની ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરી છે. નદીઓના જળસ્તરની દેખરેખની સાથે આર્મી, આઈટીબીપી અને પોલીસ સહિતના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંબંધિત વિભાગોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. ચંદીગઢ સ્થિત ડિફેન્સ જીઓ-ઈન્ફોર્મેટિક્સ રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટની ચેતવણી બાદ જિલ્લામાં […]

ઉત્તરાખંડમાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, ચારના મોત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ભીમતાલ-રાણીબાગ રોડ ઉપર આમદલી નજીકથી પસાર થતી બસાના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાં ઉતરીને ઉંડી ખાઈમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં મહિલા અને બાળક સહિત ચાર વ્યક્તિના મોત થયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક […]

ઉત્તરાખંડમાં જાન્યુઆરી મહિનામાં લાગુ થશે સમાન નાગરિતા સંહિતા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે રાજ્યમાં જાન્યુઆરી 2025થી સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બુધવારે સચિવાલયમાં ઉત્તરાખંડ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (UIIDB) ની બેઠક દરમિયાન, CM ધામીએ જણાવ્યું હતું કે, ઠરાવ મુજબ, રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં હોમવર્ક […]

ઉત્તરાખંડઃ ચારધામ યાત્રાનો આરંભ, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ શુભારંભ કરાવ્યો

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં  બહુ-અપેક્ષિત શિયાળુ ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો, જે ભક્તોને ચાર પવિત્ર ધામોના શિયાળાના ધામોની મુલાકાત લેવાની તક આપે છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રુદ્રપ્રયાગ જિલ્લાના ઉખીમઠના ઓમકારેશ્વર મંદિર ખાતે યાત્રાનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું, જ્યાં શિયાળાના મહિનાઓમાં ભગવાન કેદારનાથની મૂર્તિ રહે છે.  આ પ્રસંગે મુખ્યમંત્રીએ શિયાળુ ચારધામ યાત્રા નિકળતા યાત્રિકો માટે સુવિધાઓ […]

અમિત શાહ 28 નવેમ્બરે ઉત્તરાખંડની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 નવેમ્બરે ઉત્તરાખંડની એક દિવસીય મુલાકાતે જશે. આ સમય દરમિયાન, તેઓ મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી એડમિનિસ્ટ્રેશન એકેડમીમાં વહીવટી અધિકારીઓ અને ભાજપના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરે તેવી શક્યતા છે. વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરશે જેમાં રાજ્યના વિકાસ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ યોજનાઓ, સુરક્ષા વ્યવસ્થા અને અન્ય વહીવટી મુદ્દાઓ પર ચર્ચા […]

ઉત્તરાખંડનો રાજ્ય વિકાસ દર 2 વર્ષમાં 1.25 ગણાથી વધુ વધ્યો: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે દેવભૂમિ ઉત્તરાખંડના રજત જયંતિ વર્ષ પર રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવી હતી. વિવિધ સરકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, રાજ્યમાં સ્થિતિ પહેલા કરતા વધુ સારી બની છે અને સામાન્ય લોકોનું જીવન સરળ બન્યું છે. પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશમાં કહ્યું છે કે, આ દાયકો ઉત્તરાખંડનો દાયકો હશે. છેલ્લા દોઢથી બે વર્ષમાં ઉત્તરાખંડ રાજ્યના […]

ઉત્તરાખંડઃ પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી, પાંચના મૃતદેહ મળ્યાં

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના અલ્મોડામાં મોટી બસ દુર્ઘટનાની માહિતી સામે આવી છે. અલ્મોડાના મર્ચુલામાં બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાંથી અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 40 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તો આ બસ નૈની ડાંડાથી રામનગર જઈ રહી હતી. આ દુર્ઘટનામાં લગભગ 25 લોકોના મોત […]

ઉત્તરાખંડ: સૈન્ય અને SDRFએ 6,015 મીટરની ઉંચાઈએ ફસાયેલ વિદેશી પર્વતારોહકનું રેસ્ક્યૂ

નવી દિલ્હીઃ સૈન્ય અને SDRFએ દહેરાદૂનના ચૌખંભા શિખર પર ફસાયેલા વિદેશી પર્વતારોહકોને બચાવ્યા છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ચૌખંભા-તીન પર્વતની 6 હજાર 15 મીટરની ઊંચાઈએ ફસાયેલા વિદેશી પર્વતારોહકોને, આખરે રવિવારે રેસ્ક્યૂ ટીમે શોધી કાઢ્યા હતા અને સેનાએ તેમને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે જોશીમઠ પહોંચાડ્યા હતા. બે પર્વતારોહકો 11 સપ્ટેમ્બરથી 18 ઓક્ટોબર સુધી ચૌખંભા-તીન પર્વત પર પર્વતારોહણ […]

ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલન, ત્રણના મોત

નવી દિલ્હીઃ આપત્તિગ્રસ્ત રાજ્ય ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે જે જીવલેણ બની રહ્યું છે. કાટમાળ ક્યારે કોના પર પડશે તે કોઈને ખબર નથી. શનિવારે ભૂસ્ખલનના કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ લોકોના મોત થયા હતા. SDRFએ તમામ મૃતદેહોને કાટમાળમાંથી કાઢીને પોલીસને સોંપી દીધા છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ પિથોરાગઢ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code