ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં 100 ટકા વેક્સિનેશન માટે સરપંચો અને તલાટીઓની મદદ લેવાશે
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાના સંભવિત ત્રીજા વેવના આગમન પહેલા જ સરકારે વેક્સિન ઝૂંબેસ વધારી છે. જેમાં શહેરી વિસ્તારોમાં તો વેક્સિનેશનને સારીએવી સફળતા મળી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશનને મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. કોરોનાની રસી લેવાના મામલે ગ્રામીણ વિસ્તારમાં અંધશ્રદ્ધા, અજ્ઞાનતા પ્રવર્તી રહી છે પરિણામે ગ્રામીણ વિસ્તારમા રસીકરણ ની કામગીરી […]


