1. Home
  2. Tag "vice president"

સ્પેનના રાષ્ટ્રપતિ કોરોનાથી સંક્રમિત,ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીને G20 સમિટમાં મોકલ્યા

સ્પેનના રાષ્ટ્રપતિને થયો કોરોના   દિલ્હીમાં G20 સમિટમાં હાજરી આપી શકશે નહીં  ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી લેશે ભાગ  દિલ્હી: દેશમાં હજુ પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.ત્યારે હવે સ્પેનના રાષ્ટ્રપતિ કોરોના પોઝિટિવ આવ્યાનું સામે આવ્યું છે. સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝે જી-20 સમિટમાં ભાગ લેવાના હતા પરંતુ હાલ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હવે ભાગ લઈ શકશે […]

એર માર્શલ આશુતોષ દીક્ષિતે વાયુ સેનાના ઉપપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ એર માર્શલ આશુતોષ દીક્ષિતે આજે વાયુસેનાના ઉપપ્રમુખ તરીકેનો તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી, તેમને 06 ડિસેમ્બર 1986ના રોજ ફાઈટર સ્ટ્રીમમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેઓ સ્ટાફ કોર્સ, બાંગ્લાદેશ અને નેશનલ ડિફેન્સ કોલેજ, નવી દિલ્હીના સ્નાતક છે. એર માર્શલ એક ક્વોલિફાઈડ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર તેમજ એક્સપેરિમેન્ટલ ટેસ્ટ પાઈલટ છે, જેમાં ફાઈટર, […]

SCએ ઉપરાષ્ટ્રપતિ અને કાયદા પ્રધાન પર કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો

દિલ્હી : સુપ્રીમ કોર્ટે બોમ્બે લોયર્સ એસોસિએશનની અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં કોલેજિયમ સિસ્ટમ પર કરવામાં આવી રહેલી ટિપ્પણીઓને લઈને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. એસોસિએશને આ અરજીમાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખર અને કાયદા મંત્રી કિરેન રિજિજુ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે સોમવારે અરજી ફગાવી દીધી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની મુલાકાત લીધી

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે ગયા છે. દિલ્હીમાં ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી અને ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત ગુજરાતના વિકાસ અંગે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીની સૌજન્ય મુલાકાત કરી […]

ઉપરાષ્ટ્રપતિએ ગુરુ નાનક દેવ જયંતિની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છા પાઠવી

દિલ્હી:ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ગુરુ નાનક દેવના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે.ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે- “ગુરુ નાનક દેવજીની જન્મજયંતિના શુભ અવસર પર હું આપણા દેશના લોકોને અને વિદેશમાં રહેતા લોકોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. આપણા દેશને ગુરુ નાનક દેવજી જેવા મહાન શિક્ષકો પાસેથી આધ્યાત્મિક અને નૈતિક માર્ગદર્શન પ્રાપ્ત થયું છે, જેમણે માનવજાતની સહજ […]

દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી યુવાઓને વૈશ્વિક સ્તરે રોજગારી ઉપલબ્ધ થશે: ઉપરાષ્ટ્રપતિ

ગાંધીનગરઃ ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડે શુક્રવરે ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત એકસેલન્સ ઈન હાયર એજયુકેશન કાર્યક્રમનો રાજયપાલ  આચાર્ય દેવવ્રતજી અને મુખ્ય મંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડે જણાવ્યું હતું કે, આજે દેશવાસીઓ વિશ્વના કોઈપણ ખૂણે જાય ત્યારે પોતે ભારતીય હોવાનું ગૌરવ અનુભવે છે. દેશના […]

ઉપરાષ્ટ્રપતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સરદાર પટેલને ભાવવંદના કરી

અમદાવાદઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ  જગદિપ ધનખડે ગુરૂવારે તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અતિ વિરાટ સરદાર સાહેબની પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરી ભાવવંદના કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડ આવી પહોંચતા સ્ટેચ્યુ […]

‘વસુધૈવ કુટુંબકમ’ આપણા સંસ્કારી સમાજની નૈતિકતાનું પ્રતિનિધિત્વ કરે છે : ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ “વસુધૈવ કુટુંબકમ” (વિશ્વ એક પરિવાર છે) ની વિભાવના આપણા સંસ્કારી સમાજની નૈતિકતા દર્શાવે છે. તેમ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જણાવ્યું હતું. નવી દિલ્હીમાં નેશનલ ડિફેન્સ કૉલેજમાં ‘ભારતના મૂળ મૂલ્યો હિત અને ઉદ્દેશ્યો’ પર વ્યાખ્યાન આપતાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા બંધારણની પ્રસ્તાવનામાં આપણા ઘણા મૂળ તત્વોનો ઉલ્લેખ છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન શરૂ કરવામાં આવેલી ‘વેક્સીન […]

ઓણમની પૂર્વ સંધ્યાએ ઉપરાષ્ટ્રપતિએ લોકોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં ઓણમ તહેવારની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ પ્રજાને ઓણમની શુભકામનાઓ પુાઠવી હતી. દેશના ઉપરાષ્ટ્રપતિ ઉપરાંત દેશના અન્ય રાજકીય આગેવાનોએ પણ ઓણનની શુભેચ્છા પ્રજાને પાઠવી હતી. ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડે ઓણમના પર્વ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવીને ટ્વીટ કર્યું હતું કે, “હું ઓણમના શુભ અવસર પર આપણા દેશના લોકોને […]

રાજસ્થાનના ખેડૂત પુત્ર જગદીપ ધનખડ 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા,PM મોદીએ આપ્યા અભિનંદન

જગદીપ ધનખડથી થઇ જીત રાજસ્થાનના ખેડૂત પુત્ર 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા PM મોદીએ આપ્યા અભિનંદન  7 ઓગસ્ટ,દિલ્હી:એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે.તેઓએ 528 મતો સાથે જીત હાંસિલ કરી છે.આ સાથે વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાને 182 વોટ મળ્યા છે.ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 725 મત પડ્યા હતા.જેમાંથી 710 મત માન્ય જણાયા હતા. જ્યારે 15 મત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code