1. Home
  2. ગુજરાતી
  3. બારામુલામાં દારૂની દુકાન પર આતંકીઓ કર્યો ગ્રનેડ હુમલો-એક નું મોત, 3 લોકો ઘાયલ
બારામુલામાં દારૂની દુકાન પર આતંકીઓ કર્યો ગ્રનેડ હુમલો-એક નું મોત, 3 લોકો ઘાયલ

બારામુલામાં દારૂની દુકાન પર આતંકીઓ કર્યો ગ્રનેડ હુમલો-એક નું મોત, 3 લોકો ઘાયલ

0
Social Share
  • જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો વઝતો ત્રાસ
  • શરાબની દુકાનને બનાવી નિશાન
  • એક વ્યક્તિનું મોત ત્રણ લોકો ઘાયલ

 

શ્રનગરઃ- જમમ્ુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીોની નજર એટકેલી હોય છે. આવી સ્થતિમાં વિતેલા દિવસને મંગળવારની સાંજે કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આતંકીઓએ હુમલો કર્યો છે. આતંકીઓ એ દારૂની દુકાનમાં ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો દુકાનની અંદર ગ્રેનેડ

દૂકાનમાં વિસ્ફોટ થતાં  અહી કામ કરતા ચાર કામદારો ઘાયલ થયા હતા. જેમાં એક નાગરિકનું મોત થયું હતું. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ જમ્મુ વિભાગના રહેવાસી છે. હુમલાખોરોની શોધમાં વિસ્તારને કોર્ડન કરીને ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ આતંકી હુમલા બાદ બારામુલ્લામાં ભયનું વાતાવરણ હતું જ્યારે આતંકવાદીઓએ તાજેતરમાં ખોલેલી દારૂની દુકાનને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો હતો. જે દુકાનની અંદર વિસ્ફોટ થયો હતો. દુકાનમાં કામ કરતા ચાર કર્મચારીઓ ઘાયલ થયા હતા. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ એકને મૃત જાહેર કર્યો હતો.લોકોમાં ભય પેદા કરવા માટે આતંકવાદીઓ હંમેશા આ પ્રકારના હુમલા કરવાનો પ્રયાસ કરતા હોય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code