
દિલ્હી:નોઈડાના સેક્ટર 93 A માં 32 માળના સુપરટેક ટ્વિન ટાવર આજે બપોર 2.30 વાગે તોડી પાડવામાં આવ્યું છે. સુપરટેક ટ્વિન ટાવર માત્ર 9 સેકન્ડમાં જમીનદોસ્ત થઈ ગયું હતું. આ ઇમારતને તોડવા માટે 3700 કિલો વિસ્ફોટક અલગ-અલગ ફ્લોર પર લગાવવામાં આવ્યો હતો. એકા ત્યારે આ ટાવરના જમીનદોસ્ત થતા જ ધૂળની ડમરી ઉડવા લાગી હતી. પણ લોકોના મગજમાં તે વિચાર નહીં આવ્યો હોય કે આ ટાવરને તોડવા માટે જેટલું વિસ્ફોટક ઉપયોગ કરવામાં આવ્યું તે કેટલીક મિસાઈલના વિસ્ફોટક બરાબર છે.
ટ્વિન ટાવરને તોડવા માટે વપરાયેલ વિસ્ફોટકનો જથ્થો 3 અગ્નિ, 12 બ્રહ્મોસ અને 4 પૃથ્વી મિસાઈલ જેટલો છે. જો વાત કરવામાં આવે મિસાઈલની મારક ક્ષમતા અને તેના વિશે તો આ બિલ્ડીંગને 3500 કિલોથી વધુના વિસ્ફોટક સાથે ધ્વસ્ત કરવામાં આવી છે. આ કુલ વિસ્ફોટકના જથ્થાને મિસાઈલના વિસ્ફોટકોના જથ્થા સાથે સરખાવીએ તો અગ્નિ-V મિસાઈલનું વજન લગભગ 50,000 કિલોગ્રામ છે. આ મિસાઈલ બે મીટરના વ્યાસ સાથે 1.75 મીટર ઉંચી છે. 1,500-કિલોગ્રામ વોરહેડને મિસાઈલની ટોચ પર મૂકવામાં આવે છે.
બ્રહ્મોસ 300 કિલોગ્રામ (પરંપરાગત તેમજ પરમાણુ બંને)ના વોરહેડને વહન કરવામાં સક્ષમ છે અને તેની ટોચની સુપરસોનિક ઝડપ મેક 2.8 થી 3 (આશરે ધ્વનિની ઝડપ કરતાં ત્રણ ગણી) છે. આ ફ્લાઇટ ટેસ્ટનું નિરીક્ષણ રેન્જ ઇન્સ્ટ્રુમેન્ટેશનના તમામ સેન્સર્સ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ટેલિમેટ્રી, રડાર અને ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે જે પૂર્વીય કિનારે અને ડાઉન રેન્જના જહાજો પર તૈનાત કરવામાં આવે છે.
પૃથ્વી એ ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) હેઠળ ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા વિકસાવવામાં આવેલી સપાટીથી સપાટી પરની ટૂંકી અંતરની બેલિસ્ટિક મિસાઈલ (SRBM) છે. તે ભારતના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા તૈનાત કરવામાં આવે છે.