1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઢોર નિયંત્રણ કાયદાને હળવો કરીને ફરીવાર સુધારા સાથે વિધાનસભામાં રજુ કરાય તેવી શક્યતા
ઢોર નિયંત્રણ કાયદાને હળવો કરીને ફરીવાર સુધારા સાથે વિધાનસભામાં રજુ કરાય તેવી શક્યતા

ઢોર નિયંત્રણ કાયદાને હળવો કરીને ફરીવાર સુધારા સાથે વિધાનસભામાં રજુ કરાય તેવી શક્યતા

0
Social Share

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન ગુજરાત કેટલ કંન્ટ્રોલ બીલ મંજુર કરાયા બાદ રાજ્યના માલધારીઓનો ભારે વિરોધ થતા સરકાર બીલનો અમલ કરી શકતી નથી. હવે આગામી વિધાનસભાના સત્રમાં સુધારા-વધારા સાથેનું બીલ ગૃહમાં પુનઃ રજુ કરવામાં આવશે. એવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

ગુજરાતમાં નાના-મોટા તમામ શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વિકટ બની રહી છે. અને હાઈકોર્ટનો ટકોર બાદ રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. રાજય સરકાર હવે ગત વિધાનસભામાં મંજુર કરાયા બાદ રાજકીય કારણોસર અભેરાઈએ ચડાવી દીધેલા ગુજરાત કેટલ કંટ્રોલ (કીપીંગ એન્ડ મુવીંગ) ઈન અર્બન એરીયા બિલ 2022 હવે સુધારા સાથે વિધાનસભાના આગામી સત્રમાં ફરી રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં  કેટલ કન્ટ્રોલનો ખરડો મંજુર થયા બાદ માલધારી સમાજમાંથી આ પ્રસ્તાવિત કાનૂનની આકરી જોગવાઈ સામે વિરોધ થતા અને રાજયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી હોઈ આ વિરોધ રાજકીય બની જશે. તેવો ભય સર્જાતા સરકારે હાલ વિધાનસભામાં મંજુર થયેલો ખરડામાંથી કાનૂન બનાવાની પ્રક્રિયા પર બ્રેક મારી દીધી હતી પણ હવે રખડતા ઢોરના કારણે ટ્રાફિક સમસ્યા અને અકસ્માત સર્જાતા હોવાથી તેમજ ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કર્યા બાદ ગુજરાત સરકારને આ સમસ્યાનો અંત લાવવા તાકીદના પગલા ભરવાની ફરજ પડી રહી છે. ગુજરાત હાઈકોર્ટમાં  રખડતા ઢોરને મુદ્દે સુનાવણી સમયે હાઈકોર્ટ એડવોકેટ એસો. વતી રજૂ થયેલા ધારાશાસ્ત્રીએ આરોપ મુકયો કે પ્રભાવશાળી લોકોના દબાણથી સરકારે મંજુર થયેલો ખરડો અભેરાઈએ ચડાવી દીધો છે. હાઈકોર્ટમાં ખંડપીઠના ન્યાયમૂર્તિએ આ અંગે રાજય સરકારનો જવાબ માંગ્યો હતો કે, શા માટે રાજય સરકાર દ્વારા વિધાનસભામાં મંજુર થયેલો ખરડો અમલી બનાવાતો નથી. રાજય સરકારે સ્પષ્ટતા કરી હતી કે, આ ખરડો મંજુર થયો છે, પણ તેની કેટલીક જોગવાઈ અંગે પુન: વિચારણાની જરૂર છે જે થઈ રહી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કેટલ કન્ટોલ બીલમાં આકરી જોગવાઈઓ છે. આ ખરડામાં રાજય સરકારે પશુ માલીકોની આકરી જવાબદારી નિશ્ર્ચિત કરી હતી જેમાં રખડતા ઢોરના કારણે કોઈ અકસ્માત થાય અને માનવજીવનનું નુકશાન થાય તો તેમાં બીન ઈરાદે હત્યા સહિતની આકરી કલમો લાગુ પડી શકે છે. ઉપરાંત ઢોર પકડ પાર્ટીના કામકાજમાં વિધ્ન ઉભુ કરનારની અટકાયત સહિતની જોગવાઈ પણ છે. જો કે આ પ્રકારે રખડતા ઢોરના કારણે માનવજીવનનો ભોગ લેવાય તો તેમાં બિનઈરાદે કે અજાણતાથી થયેલા કૃત્ય સમાન ગણવું તે વધુ પડતું છે. હવે સરકાર વિધાનસભાના ટુંકા સત્રમાં કેટલીક ગંભીર જોગવાઈ રદ કરશે તેવા સંકેત છે. ઉપરાંત આ મંજુર થયેલા ખરડામાં જે ભારે દંડ- સજાની જોગવાઈ છે તે પણ હળવી કરી દેવાશે અથવા રદ કરાશે. ગુજરાત હાઈકોર્ટે આ મંજુર થયેલા ખરડાની નકલ રજૂ કરવા આદેશ આપતા હવે સરકાર માટે એકશનમાં આવવું ફરજીયાત બની ગયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code