1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પોરબંદર નજીક બરડા ડુંગરનું વાતાવરણ વનરાજોને ફાવી ગયું, સિંહોના વસવાટ વધારવાનો નિર્ણય
પોરબંદર નજીક બરડા ડુંગરનું વાતાવરણ વનરાજોને ફાવી ગયું, સિંહોના વસવાટ વધારવાનો નિર્ણય

પોરબંદર નજીક બરડા ડુંગરનું વાતાવરણ વનરાજોને ફાવી ગયું, સિંહોના વસવાટ વધારવાનો નિર્ણય

0
Social Share

પોરબંદરઃ ગીરના જંગલમાં વનરાજોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. તેના લીધે શિકારની શોધમાં સિહો રેવન્યુ વિસ્તારમાં ઘસી આવતા હોય છે. જંગલમાં સિંહોએ પણ પોતાનો વિસ્તાર નક્કી કરેલો હોય છે. અને પોતાના વિસ્તારમાં અન્ય સિંહોને પ્રવેશવા દેતા નથી. ઘણીવાર સિંહો વચ્ચે ઈનફાઈટના બનાવો પણ બનતા હોય છે.  સિહોની વસતી વધતી જતી હોવાથી સિંહો માટે પોરબંદર નજીક બરડા ડુંગરમાં વસવાટ કરવાની યોજના સરકારે બનાવી છે. અગાઉ કેટલાક સિંહને બરડા ડુંગર વિસ્તારમાં વસવાટ માટે લાવવામાં આવ્યા હતા. અને સિંહોને બરડાં ડુંગર વિસ્તારનું વાતાવરણ માફક આવી ગયું છે. એટલે હવે અન્ય સિંહ પરિવારોને બરડા ડુંગર વિસ્તારમાં વસવાટ માટે ખદેડાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદર નજીકનો પ્રસિદ્ધ બરડો ડુંગર ટૂંક સમયમાં સિંહનું નવું સત્તાવાર નિવાસસ્થાન બનશે. પ્રોજેક્ટ લાયન હેઠળ સરકારે બરડા ડુંગરમાં સિંહોનો વસવાટ વધારવા માટેની યોજનાને આગળ ધપાવવાનો નિર્ણય કર્યો છે. આગામી દિવાળી બાદ આ યોજનાને અમલી બનાવાશે. હાલ પણ બરડામાં સિંહોની ઉપસ્થિતિ છે. પણ હવે અહીં સુવિધાઓ વધારવામાં આવશે. છેલ્લાં 50 વર્ષથી બરડો ડુંગર સિંહનું બીજું ઘર હશે તેવું કહેવાય છે, પણ આ ડુંગરને સત્તાવાર રીતે વન વિભાગ દિવાળી પછી સિંહનું ઘર બનાવશે.

રાજ્યના વનમંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે,  કેન્દ્રિય વન મંત્રી ભૂપેન્દ્રસિંહ યાદવ તાજેતરમાં સાસણગીરની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે બરડા ડુંગરને સિંહનું બીજું ઘર બનાવવાને અંતિમ સ્વરૂપ આપવાની ચર્ચા થઇ હતી. કેન્દ્રિય વનમંત્રી ભૂપેન્દ્રસિંહ યાદવે મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ ધ લાયન બાબતે ચર્ચા કરી હતી. આ ચર્ચા અંતર્ગત એવી બાબત પણ ચર્ચાઇ હતી કે, બરડા ડુંગરમાં સિંહના વસવાટને ચાલુ કરી દેવો જોઈએ.  હવે બરડા ડુંગરમાં સિંહના વસવાટ કરવા માટે કયો સમય પસંદ કરવો, કેટલી સંખ્યામાં સિંહને રાખવા, સિંહ માટે કેવા પ્રકારની સુવિધા અને કયાં કયાં કરવી સહિતની બાબત નક્કી કરવામાં આવશે..

વન વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, પોરબંદર નજીક આવેલા બરડો ડુંગર  343 કિમી વિસ્તારમાં ફેલાયેલો અને ગીરથી 80 કિ.મી.દૂર છે. રાજકોટથી પોરબંદર જતી વખતે રસ્તામાં બરડા ડુંગર આવે છે. આ ડુંગરમાં અત્યારે સિંહનો જતા નથી તેવું વનવિભાગના સુત્રોનું કહેવું છે,પણ ડેવલપ કર્યા પછી ત્યાં સિંહનો વસવાટ થઇ શકે છે. આ માટે એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીએ તેનો પ્રથમ અહેવાલ આપી દીધો છે અને તેના પર નિર્ણય લેવાયા પછી દિવાળી પછી સિંહને બરડામાં વસવાટ કરવા માટે મોકલવાની ગણતરી વન વિભાગની છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે માત્ર સાસણ ગીરમાં જ સિંહ છે તેવું નથી. સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, વેરાવળ, ઉના, ખાંભા, રાજુલા,મહુવા, જેસર, ગારીયાધાર, પાલિતાણા, મહુવા સહિતના વિસ્તારમાં સિંહ આવી ગયા છે. ગુજરાતમાં 20 હજાર સ્ક્વેર કિલોમીટરમાં સિંહ વસવાટ કે આવનજાવન કરે છે છેલ્લા અવલોકન પ્રમાણે ગુજરાતમાં 736 સિંહ છે. બરડા ડુંગરને 1972માં નોટિફિકેશન જાહેર કરીને સિંહના બીજા ઘર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.પણ તેના તરફ દુર્લક્ષ રાખીને તેને સત્તાવાર સિંહના ઘર તરીકે વિકસાવવામાં આવ્યું નથી. હવે કેન્દ્રિય મંત્રી યાદવ આવ્યા પછી તેને આગામી દિવાળી પછી સત્તાવાર સિંહના નિવાસ સ્થાન તરીકે વિકસાવવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code