1. Home
  2. ગુજરાતી
  3. PM આવાસ યોજનાની આવક મર્યાદા મહારાષ્ટ્ર સરકારે વધારી – હવે વદુ આવક ઘરાવતા લોકો પણ આ માટે લાયક બનશે
PM આવાસ યોજનાની આવક મર્યાદા મહારાષ્ટ્ર સરકારે વધારી – હવે વદુ આવક ઘરાવતા લોકો પણ આ માટે લાયક બનશે

PM આવાસ યોજનાની આવક મર્યાદા મહારાષ્ટ્ર સરકારે વધારી – હવે વદુ આવક ઘરાવતા લોકો પણ આ માટે લાયક બનશે

0
Social Share

 

દિલ્હીઃ- દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અનેક લોકોને લાભ મળી રહ્યો છે ત્યારે હવે મહારાષ્ટ્રમાં આ માટે આવક મર્યાદા વધારવામાં આવી છે. મહારાષ્ટ્રમાં આર્થિક રીતે નબળા વર્ગોને રાહત આપવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1.18 કરોડ લોકોને ઘરની ફાળવણી કરવામાં આવી છે. આ યોજનામાં અત્યાર સુધીમાં કુલ 8.19 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારોમાં ઓછી આવક ધરાવતા નોકરી-ધંધાના લોકો પણ આ યોજનાનો લાભ લઈને હોમ લોન લઈ રહ્યા છે.

ત્યારે હવે મુંબઈ મેટ્રોપોલિટન રિજનના આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેની આવક મર્યાદા હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોસાય તેવા ઘરો માટે  3 લાખ રુપિયાથી વધારીને 6 લાખ રુપિયા કરવામાં આવી છે. એટલે કે હવે તે લોકો, જેમની આવક મર્યાદા થોડી વધારે છે, તેઓ આ કેટેગરીના મકાનો ખરીદવા માટે લાયક બનશે.

મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું કે કેન્દ્રીય શહેરી વિકાસ અને આવાસ મંત્રાલયે આ અંગે રાજ્ય સરકારને પત્ર લખીને જાણ કરી છે. આર્થિક રીતે નબળા લોકોની મદદ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે પીએમ આવાસ યોજના શહેરી અને ગ્રામીણ લોકો માટે છે. આ અંતર્ગત જે લોકો પાસે કચ્છના ઘર છે, જેમની પાસે છત નથી તેઓ પીએમ આવાસ યોજના હેઠળ ઘર માટે અરજી કરી શકે છે. આ યોજના હેઠળ ગરીબોને ઘર બનાવવા માટે ફંડ આપવામાં આવે છે. આ સિવાય ઓછી આવક ધરાવતા લોકોને હોમ લોનમાં સબસિડી પણ આપવામાં આવે છે. આ યોજના 25 જૂન 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જારી કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code