1. Home
  2. ગુજરાતી
  3. આ વૃદ્ધ જેમણે છેલ્લા 67 વર્ષથી નથી કર્યું સ્નાન ,હાલ 87 વર્ષની ઉંમરે તદ્દન તંદુરસ્ત છે,આરોગ્ય નિષ્ણાંતો પણ આશ્ચર્યમાં
આ વૃદ્ધ જેમણે છેલ્લા 67 વર્ષથી નથી કર્યું સ્નાન ,હાલ 87 વર્ષની ઉંમરે તદ્દન તંદુરસ્ત છે,આરોગ્ય નિષ્ણાંતો પણ આશ્ચર્યમાં

આ વૃદ્ધ જેમણે છેલ્લા 67 વર્ષથી નથી કર્યું સ્નાન ,હાલ 87 વર્ષની ઉંમરે તદ્દન તંદુરસ્ત છે,આરોગ્ય નિષ્ણાંતો પણ આશ્ચર્યમાં

0
Social Share
  • અમો હાજી નામનો વ્યક્તિ 67 ર્ષથી નાહ્યો જ નથી
  • 87 વર્ષની ઉમંરે પણ તે સ્વચ્છ છે
  • તે એક ઓરડીમાં એકલો રહે છે

દરરોજ સવારે ઉઠીને સ્વસ્થ રહેવા માટે આપણે ન્હાવાનું ક્યારેય ભૂલતા નથી, વિશઅવના તમામ લોકો સવારે ન્હાતા જ હોઈ છે, ન નહ્વાથી આરોગ્ય ખરાબ થાય છે સાથે શરીરમાં ગંદકીનું પ્રમાણ વધે છે, પણ જો અમે તમને જણાવીએ કે એક વ્યક્તિ કે જેઓ છેલ્લા 67 વર્ષથી ન્હાયા જ નથી, અને હાલ તેઓ 87 વર્ષના છે, એટલે કે તેઓ જ્યારે 20 વર્ષના હતા ત્યારે ન્હાયા ત્યાર બાદ તેઓ બિલકુલ ન્હાયા જ નથી.આ વ્યક્તિ ઈરાનનો રહેવાસી છે, જેનું નામ અમો હાજી છે

અમો હાજીએ છેલ્લા 67 વર્ષથી સ્નાન કર્યું નથી. આટલા વર્ષોમાં તેણે પોતાના શરીર પર પાણી પણ રેડ્યું નથી. એટલા માટે તેને દુનિયાનો સૌથી ગંદો વ્યક્તિ પણ ગણાય છે. તેમની તબિયત તપાસનાર તબીબોએ ચોંકાવનારી વાત જણાવી છે. અમો હાજી પાણીથી ડરતા હોવાથી નહાતા નથી. તેમને એવો પણ ડર છે કે જો તેઓ નહાશે તો બીમાર પડી જશે.

ન્હાવાના મામલે તે માને છે કે સ્વચ્છતાને કારણે તે બીમાર થઈ જશે. એટલા માટે તે સ્નાન કરતા નથી, જેના કારણે તેનો ચહેરો કાળો થઈ ગયો છે અને તેનું આખું શરીર દુર્ગંધવાળું થઈ ગયું છે. તેમની પડખે કોઈ ઊભું નથી. આ કારણે તેઓ ઈરાનના રણમાં એકલા રહેતા હતા.

તેઓ હાલમાં દેજગાહ ગામમાં એક ઝૂંપડીમાં રહે છે. સ્થાનિક લોકોએ તેમના માટે આ ઝૂંપડી બનાવી છે. અમો હાજી પાસે પોતાનું ઘર ન હતું અને તે રણના ખાડાઓમાં રહેતા. ઈરાનના દેજગાહ ગામનો રહેવાસી અમો હાજી દિવસમાં પાંચ લીટર પાણી પીવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેને સ્વચ્છ રહેવું પસંદ નથી. તેથી જ તેઓ સડેલું ખોરાક પણ ખાય છે. એવું કહેવાય છે કે તેઓ માત્ર મૃત પ્રાણીઓનું સડેલું માંસ ખાય છે અને તળાવનું પાણી પીવે છે.તે ઠંડીથી બચવા માટે યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાતું જૂનું હેલ્મેટ પહેરે છે. તે ઘણા વર્ષોથી એક જ કપડા પહેરે છે. તેમને નવા મળેલા કપડા પણ જીના કપડા પર જ પહેરે છે.

ડોક્ટરે તેમની મુલાકાત લીધી હતી,ડૉક્ટરોએ જાણ્યું કે તે સંપૂર્ણ સ્વસ્થ છે. તેના શરીરમાં કોઈ બેક્ટેરિયા કે ગંભીર બીમારી નહોતી. તે એક સરસ સ્વચ્છ ઘરમાં રહેતા નિયમિત વ્યક્તિની જેમ સ્વસ્થ હતા.

અનેક  નિષ્ણાતોનો ઉદ્દેશ્ય પરોપજીવી અને બેક્ટેરિયાનો અભ્યાસ કરવાનો હતો જે કદાચ ધોયા વગરના અને ગંદા શરીરમાં વિકસી હોય. પરંતુ તેણે પુષ્ટિ કરી છે કે હાજીના શરીરમાં 67 વર્ષ સુધી સડેલું ખોરાક ખાવા છતાં અને ન્હાયા વગર રહેતાં હોવા છત્તા તેના શરીરમાં કોઈ બેક્ટેરિયા નથી.અમો હાજીની આસપાસ રહેતા લોકો તેમનો આદર કરે છે, જોકે ઘણા લોકો તેમની મજાક ઉડાવે છે. સ્થાનિક પ્રશાસને તેમની મદદ કરી છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code