પાલનપુરઃ દેશ અને દુનિયામાં ઘણીવાર એવી અજાયબીઓ જોવા મળતી હોય છે. જેમાં કેટલીક માનવ સર્જીત હોય છે, તો કેટલીક કૂદરતી હોય છે. જિલ્લાના સરહદ નજીક આવેલા સૂઈગામના કોરેટી તળાવના પાણીનો એકાએક રંગ બદલાઈ ગયો અને પાણી ગુલાબી થઈ ગયું.. દુરથી જોતા પીન્કલેકનો નજારો જોવા મળી રહ્યો છે. તળાવનું પાણી એકાએક ગુલાબી કેમ બની ગયું તે તપાસનો વિષય છે.
સૂઈગામના કોરેટી ગામના તળાવમાં સાત દિવસ પહેલાં અચાનક તળાવમાંના પાણીનો કલર બદલાતાં કુતૂહલ સર્જાયું હતું. એમાં તળાવના પાણીનો રંગ ગુલાબી થઇ જતાં લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. જોકે તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થાઓ પણ સામે આવી રહી છે, જ્યારે કેટલાક બુદ્ધિજીવી વર્ગનું આ એક વૈજ્ઞાનિક ઘટના હોવાનું માનવું છે. પીંક-ગુલાબી સરોવરો વિવિધ પરિબળોના સંયોજનથી ઉદભવે છે, જેમાં આબોહવા અને તેમની નીચે ખંડની જળવિજ્ઞાન, ખાસ કરીને ખારાશનું સ્તર જવાબદાર હોય છે. સમગ્ર વિશ્વમાં મીઠાના સરોવરોનો નારંગી/ગુલાબી રંગ ઘણીવાર લીલી શેવાળ ડુનાલીએલા સલિનાને આભારી છે. વિશ્વમાં પીક સરોવર એ એક પ્રકારના સોલ્ટ લેક હોવાનું માલુમ પડ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના સૂઈગામના કોરેટી ગામના તળાવનો પાણીનો કલર બદલાયો છે, જેને લઈને વિસ્તારના તેમજ આજુબાજુના લોકોમાં કુતૂહલ સર્જાયું છે. કોરેટી ગામના તળાવમાંના પાણીનો રંગ સાત દિવસ અગાઉ અચાનક જ બદલાઈ જતાં આજુબાજુના લોકો જોવા માટે ઊમટ્યા છે. સતત સાત દિવસથી આ તળાવના પાણીનો રંગ ગુલાબી થઇ ગયો છે. જોકે આ એક વૈજ્ઞાનિક ઘટના હોવાનું પણ કેટલાક બુદ્ધિજીવી વર્ગનું માનવું છે. જોકે તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થા પણ સામે આવી રહી છે, પરંતુ સરહદી વિસ્તારમાં અચાનક તળાવનું પાણી બદલાવાના અજીબો ગરીબ કિસ્સાએ લોકોને હાલમાં ભારે અચરજ પમાડ્યું છે.
જો કે આ અંગે સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે, સુઈગામ તાલુકામાં આવેલા કોરેટી ગામ શંકર ભગવાનનું હજાર વર્ષો જૂનું મંદિર છે. અહિં પાંડવોએ પૂજા કરેલી છે અને આ મંદિરના ચમત્કારે આ તળાવે લાખો હજારો લીટર પાણીમાં ગુલાલ નાખ્યો હોઈ એવો ઘાટો ગુલાબી રંગ પકડી લીધો છે. આખું ગામ વિચારમાં પડી ગયું છે કે આ શંકર ભગવાનનો ખરેખર ચમત્કાર છે. અમે શ્રદ્ધાથી એને નમન કરીએ છીએ. પાણીને માથા પર ચડાવીને આ શંકર ભગવાનનું વરદાન હોય એમ માનીએ છીએ. ત્રણથી ચાર દિવસ પહેલા ચેન્નાઇમાંથી પણ આવો જ એક કિસ્સો બહાર આવ્યો હતો. જેમાં ચેન્નાઇના એક તળાવમાંથી વિપુલ પ્રમાણમાં મિથેન તત્વ મળી આવતાં તેના પાણીનો રંગ ગુલાબી થયો હોવાની ઘટના સામે આવી હતી. જેના પગલે સ્થાનિક લોકોએ તળાવના દુષિત થવા પર યોગ્ય પગલાં ભરવાની માંગ કરી હતી.