1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઉનાળામાં શરીરને ઠંડક આપશે આ 5 શાકભાજી: આજે જ ડાયટમાં કરો સામેલ
ઉનાળામાં શરીરને ઠંડક આપશે આ 5 શાકભાજી: આજે જ ડાયટમાં કરો સામેલ

ઉનાળામાં શરીરને ઠંડક આપશે આ 5 શાકભાજી: આજે જ ડાયટમાં કરો સામેલ

0
Social Share

દરેક ઋતુમાં શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ ઉનાળાની સિઝનમાં તે વધુ મહત્વનું બની જાય છે. ગરમીમાં શરીરને માત્ર પોષણની જ નહીં, પરંતુ હાઇડ્રેટ રાખવાની પણ સૌથી વધુ જરૂર હોય છે. સિઝનલ શાકભાજી ન માત્ર વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ પૂરી કરે છે, પરંતુ હીટ વેવ (લૂ) થી બચવામાં પણ મદદરૂપ થાય છે. નિષ્ણાતોના મતે, ઉનાળામાં શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહેવું જોઈએ. જો શરીરમાં પ્રવાહીનું સંતુલન બગડે તો થાક લાગવો અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. અહીં એવા શાકભાજીની યાદી છે જે તમારા શરીરમાં પાણીની પૂર્તિ કરવામાં મદદ કરશે.

  • કાકડી: પાણીનો ખજાનો

ઉનાળામાં કાકડીને ડાયટનો ભાગ અવશ્ય બનાવવી જોઈએ. કાકડીમાં અંદાજે 95 ટકાથી વધુ પાણી હોય છે. તે વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ અને વિટામિન કેનો સારો સ્ત્રોત છે. કાકડીની સાથે કકડીનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક રહે છે.

  • ટામેટાં: સ્વાદ અને સ્વાસ્થ્ય બંને

ટામેટાં માત્ર શાકભાજીનો સ્વાદ જ નથી વધારતા, પણ તે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. 100 ગ્રામ ટામેટામાં લગભગ 95 ટકા પાણી હોય છે. તેમાં લાયકોપીન અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે ગરમીમાં હૃદય અને ત્વચા માટે પણ સારું માનવામાં આવે છે.

  • ડુંગળી: લૂ સામે સુરક્ષા કવચ

ઉનાળામાં કાચી ડુંગળીનું સેવન વરદાન સમાન છે. ડુંગળી લૂ થી બચાવવામાં ખૂબ જ મદદરૂપ છે. 100 ગ્રામ ડુંગળીમાં અંદાજે 89.1 ગ્રામ પાણી હોય છે. સલાડમાં ડુંગળી લેવાથી શરીરની ગરમીને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

  • પેઠા (સફેદ કોળું): ઠંડકનો અહેસાસ

સફેદ કોળું અથવા પેઠાનું શાક ઉનાળામાં ખૂબ જ ઠંડક આપે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર મુજબ, 100 ગ્રામ કાચા પેઠામાં 96.1 ગ્રામ પાણી હોય છે. આ શાક પાચન માટે પણ ખૂબ જ હલકું અને ઉત્તમ છે.

  • લેટીસ (સલાડ પત્તા)

લેટીસના પાન પણ ઉનાળા માટે શ્રેષ્ઠ છે. 100 ગ્રામ લેટીસમાં 95 ગ્રામ પાણી હોય છે. તમે તેને સલાડ અથવા સેન્ડવિચમાં સામેલ કરીને શરીરને હાઇડ્રેટ રાખી શકો છો.

  • આ શાકભાજી પણ છે ગુણકારી

ઉનાળામાં દૂધી, ગીલોડા, તુરીયા અને ટીંડોળા જેવા શાકભાજી પણ ભરપૂર માત્રામાં ખાવા જોઈએ. આ શાકભાજીમાં ફાઈબર વધુ અને કેલરી ઓછી હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને શરીરમાં પાણીની ઉણપ થવા દેતા નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code