1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં હોળી-ધૂળેટીની ઉજવણીની નહીં અપાય મંજૂરી !
અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં હોળી-ધૂળેટીની ઉજવણીની નહીં અપાય મંજૂરી !

અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં હોળી-ધૂળેટીની ઉજવણીની નહીં અપાય મંજૂરી !

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી અમદાવાદ સહિતના શહોરમાં કોરોના મહામારીને પગલે હોળી-ધૂટેળીની ફાર્મ હાઉસ અને કલબમાં ઉજવણીની મંજુરી આપવામાં નહીં આવે. જો કે, ધાર્મિક વિધી માટે છુટછાટ આપવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની મહામારીને પગલે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં હોળી-ધૂટેળીના તહેવારની ઉજવણીને લઈને કેટલાક પ્રતિબંધ લાદવામાં આવે તેવી શકયતા છે. મેટ્રો શહેરના ક્લબ ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટમાં ધુળેટીની ઉજવણી માટે મંજૂરી અપાશે નહિ. જોકે, ગ્રામીણ વિસ્તરમાં ધુળેટીને સરકાર આપી શકે છે આંશિક છૂટછાટ. સાથે જ ગલી – મહોલ્લામાં ધુળેટી ઉજવી શકાશે. અને, હોળીની ધાર્મિક વિધિ માટે છૂટછાટ આપવામાં આવે તેવી શકયતા છે.

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ રાજ્યભરમાં કોરોના ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમજ અમદાવાદ સહિતના શહેરી વિસ્તારમાં હોસ્પિટલમાં જરૂર પડે તો કોવિડ બેડ વધારવા માટે તાકીદ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code