1. Home
  2. ગુજરાતી
  3. ન્યાયતંત્રને નબળું બનાવવાના પ્રયાસો અંગે નિવૃત્ત ન્યાયમૂર્તિઓએ સીજેઆઈને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી
ન્યાયતંત્રને નબળું બનાવવાના પ્રયાસો અંગે નિવૃત્ત ન્યાયમૂર્તિઓએ સીજેઆઈને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી

ન્યાયતંત્રને નબળું બનાવવાના પ્રયાસો અંગે નિવૃત્ત ન્યાયમૂર્તિઓએ સીજેઆઈને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી

0
Social Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના 21 નિવૃત્ત ન્યાયાધીશોએ “ચોક્કસ જૂથો દ્વારા ઇરાદાપૂર્વકના દબાણ, ખોટી માહિતી અને જાહેર અપમાન દ્વારા ન્યાયતંત્રને નબળા કરવાના વધતા પ્રયાસો”ના આક્ષેપ સાથે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ને એક પત્ર લખ્યો છે, તેમણે કહ્યું કે આ ટીકાકારો સંકુચિત રાજકીય હિતો અને વ્યક્તિગત લાભોથી પ્રેરિત છે અને ન્યાયિક પ્રણાલીમાં લોકોના વિશ્વાસને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જો કે, નિવૃત્ત ન્યાયાધીશોએ આ પત્ર સીજેઆઈને કઈ ઘટનાઓ પર લખ્યો છે તે વિશે જણાવ્યું નથી. જેમાં સુપ્રીમ કોર્ટના ચાર નિવૃત્ત જજ પણ સામેલ છે. ભ્રષ્ટાચારના મામલામાં કેટલાક વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહીને લઈને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે ચાલી રહેલા શબ્દીક યુદ્ધ વચ્ચે આ પત્ર લખવામાં આવ્યો છે.

જસ્ટિસ (નિવૃત્ત) દીપક વર્મા, કૃષ્ણ મુરારી, દિનેશ મહેશ્વરી અને એમ આર શાહ સહિતના નિવૃત્ત ન્યાયાધીશોએ અદાલતો અને ન્યાયાધીશોની અખંડિતતા પર પ્રશ્ન ઉઠાવીને ન્યાયિક પ્રક્રિયાને પ્રભાવિત કરવાના દેખીતા પ્રયાસો સાથે કપટી યુક્તિઓ અપનાવવાનો આરોપ મૂક્યો છે.

“આવી ક્રિયાઓ આપણા ન્યાયતંત્રની પવિત્રતાનું અપમાન કરે છે, પરંતુ ન્યાય અને નિષ્પક્ષતાના સિદ્ધાંતોને સીધો પડકાર પણ આપે છે,” તેમણે “ન્યાયતંત્રને બિનજરૂરી દબાણથી બચાવવાની જરૂર છે” શીર્ષકમાં લખ્યું હતું ન્યાયતંત્ર આવા દબાણો સામે મજબૂત બને અને કાયદાકીય પ્રણાલીની પવિત્રતા અને સ્વાયત્તતા સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code