1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દિવાળી બાદ બાળકો માટે વેક્સિન અભિયાન શરૂ કરાશે, કેન્દ્રની મંજુરીની જોવાતી રાહ
દિવાળી બાદ બાળકો માટે વેક્સિન અભિયાન શરૂ કરાશે, કેન્દ્રની મંજુરીની જોવાતી રાહ

દિવાળી બાદ બાળકો માટે વેક્સિન અભિયાન શરૂ કરાશે, કેન્દ્રની મંજુરીની જોવાતી રાહ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો બીજો કાળ લગભગ સમાપ્ત થઈ ગયો છે. સરકારે તમામ નિયંત્રણો ઉઠાવી લેતા જનજીવન પણ રાબેતા મુજબનું થઈ ગયું છે. બીજીબાજુ વેક્સિનેશનનો ટાર્ગેટ 100 ટકા સિદ્ધ કરવા અભિયાન આદરવામાં આવ્યું છે. યુવાનોથી લઈને વૃદ્ધ સુધીના તમામ મોટાભાગના લોકોને વેક્સિન આપવાનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે દિવાળી બાદ બાળકોને વેક્સિન આપવાનું અભિયાન આદરવામાં આવશે. અને પખવાડિયામાં 1.40 કરોડ બાળકોને વેક્સિન આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં પણ અત્યાર સુધીમાં 6 કરોડ 86 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપી ચૂકાયા છે. એવામાં હવે નાના બાળકોને વેક્સિન આપવાની તૈયારીઓ શરૂ કરી છે. કેન્દ્ર સરકારની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ થોડા દિવસો અગાઉ જ 5થી 18 વર્ષના બાળકો-યુવાનો માટેની વેક્સિનને મંજૂરી આપી છે. કોવેક્સિન બનાવતી કંપની ભારત બાયોટેકે બાળકો પરના ટ્રાયલનાં પરિણામો કેન્દ્ર સરકારને સોંપ્યા હતા. એકસપર્ટ કમિટીએ પરિણામોના વિશ્લેષણ બાદ જણાવ્યું હતું કે, કોવેક્સિનથી બાળકોને કોઈ હાનિ નથી. તેથી કંપની બાળકો માટે વેક્સિનનું બ્રાન્ડિંગ કરી શકે છે. પુખ્તવયના લોકોને અપાતી કોવેક્સિન હવે બાળકોને પણ આપવાનું શરૂ થશે. ત્યારે હવે ગુજરાતનું આરોગ્ય વિભાગ કેન્દ્ર સરકાર દ્વારા બાળકોને વેક્સિન આપવા અંગે મંજૂરી મળ્યાના 15 દિવસમાં સમગ્ર રાજ્યના બાળકોનું રસીકરણ કરવા તૈયારી કરી રહ્યું છે. આ માટે 8000 જેટલી ટીમોને કાર્યરત કરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગુજરાતના 5થી 18 વર્ષની વયજૂથના અંદાજે 1.40 કરોડ બાળકો સરકારી ચોપડે નોંધાયેલા છે. કેન્દ્ર સરકારની મંજૂરી મળતા જ બાળકોને રસી આપવાની શરૂઆત થશે. કેન્દ્ર સરકાર વેક્સિનેશન બાળકોમાં કરવાનું કહે તો આરોગ્ય વિભાગની ટીમ શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને બાળકોને શાળા ખાતે જઇને વેકસીન આપવામાં આવશે. જેથી મોટાભાગના તમામ બાળકો વેકસીનથી સજ્જ થઈ જાય, આમ શાળાના ડેટાના આધારે તથા જિલ્લા શિક્ષણ અધિકારીના ડેટાના આધારે તમામ બાળકોને રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. રસીકરણ અંગે  સરકારે કોઈ તારીખ આપી નથી પણ એવું માનવામાં આવે છે કે, દિવાળી પહેલાં બાળકોનું રસીકરણ શરૂ કરી દેવામાં આવશે. બાળકો માટે મંજૂર થયેલી કોવેક્સિન બીજી રસી છે. આ અગાઉ ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડીને મંજૂરી મળી હતી. આ રસી 12 વર્ષથી વધુ વયનાં બાળકોને આપી શકાશે. દેશમાં અત્યારસુધી ગંભીર બીમારી ધરાવતા લોકોને રસી અપાતી હતી, જેમ કે 45 કરતા વધુ વયના લોકોના કેસમાં થયું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code