1. Home
  2. ગુજરાતી
  3. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર T20 અને ODI રમવાની ના પાડી,જાણો શું છે આ પાછળનું કારણ
વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર T20 અને ODI રમવાની ના પાડી,જાણો શું છે આ પાછળનું કારણ

વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર T20 અને ODI રમવાની ના પાડી,જાણો શું છે આ પાછળનું કારણ

0
Social Share

મુંબઈ:ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. પરંતુ, તે પહેલા, મોટા સમાચાર વિરાટ કોહલી વિશે છે, જેણે આ પ્રવાસ પર T20 ઇન્ટરનેશનલ અને ODI રમવાની ના પાડી દીધી છે. અહેવાલ છે કે વિરાટ કોહલીએ બીસીસીઆઈને પણ પોતાના નિર્ણયની જાણ કરી દીધી છે. ભારતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર કુલ 8 મેચ રમવાની છે, જેમાં 3 T20 અને 3 ODI સિવાય 2 ટેસ્ટ મેચ રમાશે.

અત્યાર સુધીની માહિતી અનુસાર, સ્પષ્ટ છે કે વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ODI અને T20 રમશે નહીં,જેની પાછળનું કારણ એવું કહેવાય છે કે તેણે વ્હાઇટ બોલ સિરીઝમાંથી બ્રેક લીધો છે. પરંતુ શું તે ટેસ્ટ સિરીઝમાં રમશે? આ પ્રશ્ન પર હજુ પણ સસ્પેન્સ છે. અહેવાલ મુજબ, વિરાટ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર રમાયેલી 2 ટેસ્ટ મેચમાં રમતા જોવા મળી શકે છે.

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની હજુ સુધી પસંદગી કરવામાં આવી નથી. અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ ટૂંક સમયમાં આ અંગે બેઠક યોજશે. તે બેઠક પહેલા કોહલીએ BCCI અને પસંદગીકારોને કહ્યું છે કે તે વ્હાઇટ બોલ સિરીઝમાંથી બ્રેક લેવા માંગે છે. અને જ્યારે તેઓ પુનરાગમન કરવા માંગે છે ત્યારે અમે તમને જણાવીશું.સૂત્રોના જણાવ્યા અનુસાર તેણે બીસીસીઆઈને એમ પણ કહ્યું કે તે લાલ બોલની ક્રિકેટમાં રમશે. આના પરથી સ્પષ્ટ થાય છે કે તે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ સિરીઝમાં રમી શકે છે.

ભારતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર 2 ટેસ્ટ મેચનીસિરીઝ રમવાની છે. પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ 3 જાન્યુઆરી 2024થી કેપટાઉનમાં યોજાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code