
હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું ખૂબ મહત્વ છે.વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે મનાવવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતના દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે.આ દિવસે વટવૃક્ષની નિયમાનુસાર પૂજા કરવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે,વટવૃક્ષની પૂજા કરવાથી લાંબા આયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યનું ફળ પ્રાપ્ત થાય છે.પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે સાવિત્રીએ તેમના પતિ સત્યવાનનું જીવન યમરાજ પાસેથી પાછું લાવ્યું હતું.ત્યારથી, મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આ દિવસે વ્રત રાખે છે.
વટ સાવિત્રી પર મહિલાઓ સોળ શૃંગાર કરે છે.ખાસ કરીને મહિલાઓ આ પ્રસંગે સાડી પહેરે છે. તો આવો જાણીએ કે તમે કેવા પ્રકારની સાડી પહેરી શકો છો.
લાલ બનારસી સાડી – વટ સાવિત્રી જેવા ખાસ પ્રસંગ માટે તમે બનારસી સાડી પહેરી શકો છો. આ દિવસે તમે લાલ રંગની બનારસી સાડી પહેરી શકો છો.આ રંગને પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.તેને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે.
ગુલાબી સિલ્ક સાડી – તમે ગુલાબી રંગની સાડી પણ પહેરી શકો છો.આની સાથે તમે અલગ કલરનું બ્લાઉઝ પહેરી શકો છો. આ તમને સુંદર દેખાવ આપશે. આની મદદથી તમે બંગડીઓ, બિંદી અને કમરબંધ વડે લુક કમ્પ્લીટ કરી શકો છો.
ગ્રીન સાડી પહેરો – આ ખાસ અવસર પર તમે ગ્રીન સાડી પણ પહેરી શકો છો. આ રંગ આનંદનું પ્રતીક માનવામાં આવે છે. આ સાથે તમે ફુલ સ્લીવ બ્લાઉઝ પણ કેરી કરી શકો છો. મેકઅપ હળવો રાખો. આ તમને એક ભવ્ય દેખાવ આપશે.
કલરફુલ ડિઝાઈનર સાડી – જો તમારે અલગ લુક જોઈતો હોય તો તમે આ દિવસે કલરફુલ ડિઝાઈનર સાડી પહેરી શકો છો. આ સાડીમાં તમે ખૂબ જ સુંદર દેખાશો. તેની સાથે મેચિંગ બ્લાઉઝ પહેરો.