
કોરોનાના કેસો જ્યાં વધુ છે ત્યા 45થી વધુ ઉંમરના લોકોને 14 દિવસની અંદર જ અપાશે વેક્સિન
- કોરોનાના કેસો જ્યા વધુ ત્યા 45 વર્ષથી વધુ વયનાને અપાશે વેક્સિન
- આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે બેઠક યોજી હતી
દિલ્હી – ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે,ખૂબ જ ઝડપથી કેસમાં વધારો થઈ રહ્યો છે,વિતેલા દિવસને મંગળવારના રોજ કોરોનાના 56 હજાર નવા કેસ નોંધાયા છે. જ્યારે 271 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ પહેલા સોમવારે દર્દીઓની સંખ્યા 60 હજારને પાર પહોંચી ચૂકી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક પગલા લેવાના આદેશ આપ્યા છે.
આરોગ્ય સચિવ રાજેશ ભૂષણના જણાવ્યા પ્રમાણે, હતું કે કોરોના સંદર્ભે 46 જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં કોરોનાને દૂર કરવા કડક પગલા ભરવા કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે એક મહિનામાં જ કોરોનાના 70 ટકા કેસમાં વધારો થયો છે. એવા જિલ્લાઓ કે જ્યાં કોરોની બીજી તરંગ ઝડપથી ફેલાય રહી છે ત્યા હવે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને બે અઠવાડિયાની અંદર જ વેક્સિન અપાવવી જોઈએ.
આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખ્યો છે.આ પત્રમાં લખ્યું છે કે દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ઝડપથી ફેલાઇ રહી છે. આવી સ્થિતિમાં, લોકોને 1 એપ્રિલથી 45 વર્ષ કે તેથી વધુની ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, બપોરે 3 વાગ્યા પછી નજીકના કોઈપણ રસીકરણ કેન્દ્રોમાં નોંધણી કરાવી શકાય છે
નોંધનીય છે કે પ્રથમ તબક્કામાં, ફક્ત કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વર્કર અને ગંભીર રોગોથી પીડાતા દર્દીઓને વેક્સિન અપાતી હતીપરંતુ હવે ગુરુવારથી 45 વર્ષ સુધીના લોકો રસી લેશે.
સાહિન-