
અઠવાડિયામાં 4 દિવસ વર્ક,પગારમાં બદલાવ જાણો 2022થી લાગૂ થતા શ્રમ કાયદાથી કર્મીઓ પર શું થશે અસર
- દેશમાં લાગૂ થશે નવો શ્રમ કાયદો
- કર્મચારીઓ પર તેની થશે અસર
- વેતન અને કામના કલાકોમાં નવા ફેરફાર જોવા મળશે
દેશની સરકાર ટૂંક સમયમાં નવો શ્રમ કાયદો અમલી કરવા જઈ રહી છે,જો તમે કર્મચારી છો, તો આગામી નાણાકીય વર્ષથી તમારા કામના કલાકો, હાથમાં આવતો પગાર અને સાપ્તાહિક રજાને અસર થઈ શકે છે. કારણ કે ભારતમાં ચાર નવા કાયદા લાગુ થઈ શકે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આપેલી માહિતી પ્રનાણે આ કાયદાઓ આગામી નાણાકીય વર્ષ 2022માં લાગુ થઈ શકે છે. આ વેતન શ્રમ કાયદા, સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધો અને વ્યવસાયિક સુરક્ષા કાયદા છે. આ કાયદાઓના અમલીકરણ પછી પગાર અને કાર્ય સંસ્કૃતિમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે.
અઠવાડિયામાં 4 દિવસ કામ – કામના કલાક હશે 12
નવો શ્રમ કાયદો અમલમાં આવશે તો આવનારા નાણાકીય વર્ષથી કર્મચારીઓએ અઠવાડિયામાં પાંચને બદલે માત્ર ચાર દિવસ કામ કરવું પડશે. જો કે, તેના બદલામાં, તેઓએ દરરોજ કામ કરવાના કલાકમાં વધારો કરવો પડશે તેમણે 12 કલાક કામ કરવું પડશે. શ્રમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે નવા કાયદાના અમલ પછી અઠવાડિયામાં 48 કલાક કામ કરવાની જોગવાઈ ચાલુ જ રહેશે.
આ સાથે જ નવા શ્રમ કાયદાના અમલ પછી, કર્મચારીઓની ટેકહોમ સેલેરિમાં પણ ઘટાડો થશે. જોકે, પીએફમાં યોગદાન વધશે. નવા લેબર કોડમાં ભથ્થા 50 ટકા સુધી સીમિત કરવામાં આવ્યા છે. આનાથી કર્મચારીઓના કુલ પગારના 50 ટકા મૂળ પગાર થઈ જશે.નિષ્ણાતોના મતે નવા કાયદાથી બેઝિક પે અને પીએફની ગણતરીમાં મોટા ફેરફારો કરવામાં આવશે.
મૂળ પગારની 50 ટકા સેલેરી ટેકહોમ મળશે બાકીની ભથ્થામાં જમા થશે
દાખલા તરીકે કોઈ કર્મચારીનો માસિક પગાર 50 હજાર છે તો તેનો મૂળ પગાર 25000 થઈ શકે છે. બાકીના 25000 ભથ્થામાં જમા થશે આમ એક રીતે લાંબા ગાળા કર્મીને મોટી રકમનો ભાગ મળશે. આવી સ્થિતિમાં, જો મૂળ પગાર વધે છે, તો પીએફ વધુ કાપવામાં આવશે અને ઇનહેન્ડ પગારમાં ઘટાડો થશે. તેની સાથે નોકરીદાતા કે કંપનીનું યોગદાન પણ વધશે. કેન્દ્ર સરકારે ચાર નવા શ્રમ કાયદાઓને આખરી ઓપ આપી દીધો છે.