Site icon Revoi.in

જન ધન યોજના: 11 વર્ષમાં અધધ 56 કરોડ ખાતા ખૂલ્યાં

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારએ જણાવ્યું કે, ગયા 11 વર્ષોમાં મુખ્ય આર્થિક સમાવેશ યોજના, પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) હેઠળ 56 કરોડથી વધુ બેંક ખાતા ખોલાયા છે, જેમાં કુલ જમા રકમ 2.68 લાખ કરોડ રૂપિયા છે. PMJDYના 67 ટકા કરતા વધુ ખાતા ગ્રામીણ અથવા અર્ધ-શહેરી વિસ્તારોમાં છે અને 56 ટકા જન ધન ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે. કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું, “PMJDY પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (DBT)દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ લાભ પહોંચાડવા, ઋણ સુવિધાઓ, સામાજિક સુરક્ષા પ્રદાન કરવા અને બચત અને રોકાણ વધારવાના મુખ્ય માધ્યમોમાંથી એક રહી છે.” આ યોજના અતર્ગત 38 કરોડ રૂપે કાર્ડ પણ જારી કરવામાં આવ્યા છે, જે 2024-25 સુધી ડિજિટલ લેનદેનને 22,198 કરોડ સુધી વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

સરકારે એક જાહેરાતમાં જણાવ્યું કે POS અને ઈ-કૉમર્સ પર રૂપે કાર્ડથી લેનદેનની સંખ્યા આર્થિક વર્ષ 2017-18માં 67 કરોડથી વધીને આર્થિક વર્ષ 2024-25માં 93.85 કરોડ થઈ ગઈ છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે, PM મોદીના દૃષ્ટિકોણ હેઠળ “દર ઘર માટે ખાતું અને દરેક વયસ્ક માટે બીમા-પેન્શન કવરેજ” માટે સમગ્ર દેશમાં વિવિધ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. રાજ્યમંત્રીએ જણાવ્યું કે, દેશની 2.7 લાખ ગ્રામ પંચાયતોમાં દરેકમાં ઓછામાં ઓછા એક કેમ્પ યોજવામાં આવશે, જ્યાં લાયકાત ધરાવતા વ્યક્તિઓ PMJDY ખાતા ખોલી શકે, જન સુરક્ષા યોજનાઓ હેઠળ નામ નોંધણી કરી શકે અને તેમના બેંક ખાતામાં KYC અને નામ નોંધણી અપડેટ પણ કરી શકે. તેમણે આગળ જણાવ્યું, “અમે બેંક ખાતામાં લગભગ સેચ્યુરેશન પ્રાપ્ત કરી લીધું છે અને સમગ્ર દેશમાં બીમા અને પેન્શન કવરેજ સતત વધતી જ રહી છે.” પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) ખાતાઓમાં કુલ જમા રકમ 2,67,756 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જ્યારે ખાતાઓની સંખ્યા ત્રણ ગણી વધી છે, અને કુલ જમા રકમમાં લગભગ 12 ગણી વૃદ્ધિ નોંધાઈ છે.

Exit mobile version