
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1964 નવા કેસ નોંધાયા, 8 મોત
- ફરી એકવાર વધવા લાગ્યા કોરોનાના કેસ
- છેલ્લા 24 કલાકમાં 1964 નવા કેસ નોંધાયા
- કોરોનાથી 8 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ
દિલ્હી:રાજધાનીમાં ફરી એકવાર કોરાના વાયરસના કેસ વધવા લાગ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવારે જારી કરાયેલા આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,964 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોરોનાને કારણે 8 લોકોના મોત થયા છે.
જો કે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,939 થઈ ગઈ છે.જ્યારે દિલ્હીમાં કોરોનાના કુલ સક્રિય કેસ 6,826 છે. કોરોનાનો સકારાત્મક દર 9.42% રહ્યો છે. બુધવારે પણ કોરોનાના 1600 થી વધુ નવા કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગે બુધવારે માહિતી આપી હતી કે,છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1652 નવા કેસ નોંધાયા છે.જ્યારે 8 લોકોના મોત થયા છે. રાજધાનીમાં ઓમિક્રોનના BA.4 અને BA.5 સબ-વેરિઅન્ટ્સ સક્રિય થયા પછી કેસમાં ઝડપથી વધારો થયો છે.
આ દરમિયાન દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ કોરોનાના 1201 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 2 લોકોના મોત થયા છે.