1. Home
  2. ગુજરાતી
  3. પાલિતાણાની હોસ્પિટલને AIIMS રાજકોટ સાથે જોડવાથી દર્દીઓને ત્વરિત સારવાર મળશે : મનસુખ માંડવિયા
પાલિતાણાની હોસ્પિટલને AIIMS રાજકોટ સાથે જોડવાથી દર્દીઓને ત્વરિત સારવાર મળશે : મનસુખ માંડવિયા

પાલિતાણાની હોસ્પિટલને AIIMS રાજકોટ સાથે જોડવાથી દર્દીઓને ત્વરિત સારવાર મળશે : મનસુખ માંડવિયા

0
Social Share

અમદાવાદઃ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર ડો. મનસુખ માંડવિયા દ્વારા પાલિતાણા હોસ્પિટલ ખાતે ટેલીમેડીસીન સેવાઓનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. પાલિતાણામાં સર માનસિંહજી હોસ્પિટલને કેન્દ્રીય મંત્રી માંડવિયાની ઉપસ્થિતિમાં એઈમ્સ-રાજકોટ સાથે જોડવામાં આવી છે. ટેલીમેડિસીન સેવાઓના પ્રારંભથી પાલિતાણા અને આસપાસના વિસ્તારોના દર્દીઓને જરૂર પડ્યે રાજકોટની એઈમ્સના ડોક્ટરોની સારવારલક્ષી સલાહ ઓનલાઈન ઉપલબ્ધ થશે અને પાલિતાણાના ડોક્ટર્સને પણ સહયોગ પ્રાપ્ત થશે.

માંડવિયાએ કહ્યું હતું, ‘પાલિતાણા તથા આસપાસના તાલુકાઓના લોકોને તજજ્ઞોની સેવાઓ મળી રહે તે માટે AIIMS રાજકોટ સાથે જોડાણ કરી AIIMS રાજકોટના સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની સેવાઓ પાલિતાણા ખાતે ટેલીમેડીસીન મારફત મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને AIIMS રાજકોટ એક હબ તરીકે કામ કરશે. જેના કારણે પાલિતાણાથી અગાઉ દર્દીઓને અમદાવાદ કે રાજકોટ રિફર કરવામાં આવતા હતા તેના સ્થાને હવે સ્થાનિક સર માનસિંહજી હોસ્પિટલમાં જ એઈમ્સ-રાજકોટના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સનું માર્ગદર્શન મળી રહેશે અને દર્દીના સમય અને નાણાંની બચત થશે.’

ડો. મનસુખભાઇ માંડવિયા દ્વારા પાલિતાણા તથા આસપાસના તાલુકાઓના લોકોને તજજ્ઞોની સેવાઓ મળી રહે તે માટે AIIMS રાજકોટ સાથે જોડાણ કરી AIIMS રાજકોટના સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની સેવાઓ પાલિતાણાખાતે ટેલીમેડીસીન મારફત મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી. હૃદયરોગ, કિડનીના રોગો, કૅન્સર, સાયકિયાટ્રીસ્ટ વગેરે તજજ્ઞોની સેવાઓ મળતા બહારગામ ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code