1. Home
  2. ગુજરાતી
  3. કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહની દિવાલોને 37 કિલો સોનાથી જડિત કરાઈ  – 187 વર્ષ બાદ આ અવસર પ્રાપ્ત થયો
કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહની દિવાલોને 37 કિલો સોનાથી જડિત કરાઈ  – 187 વર્ષ બાદ આ અવસર પ્રાપ્ત થયો

કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહની દિવાલોને 37 કિલો સોનાથી જડિત કરાઈ  – 187 વર્ષ બાદ આ અવસર પ્રાપ્ત થયો

0
Social Share
  • કાશી વિશ્વનાથ મંદિરમાં 37 કિલો સોનું ચઢાવાયું
  • ગર્ભગૃહની ચમક સોનાથી વધારાઈ
  • 187 વર્ષ બાદ સોનું ચઢાવવામાં આવ્યું

લખનૌઃ- કાશી વિશ્વનાથ મંદિર શ્રદ્ધાળુંઓની આસ્થાનું પ્રતિક છે, આ મંદિરના ઈતિહાસમાં રવિવારના રોજ એક નવી સિદ્ધી ઉમેરાય છે.લગભગ 187 વર્ષના લાંબા સમય ગાળા બાદ આ મંદિરના ગર્ભગૃહને સોનાથઈ ચમકાવાયું હતું ,જેમાં 37 કિલો સોનું ચઢાવવામાં આવ્યું હતું.

મંદિરના ગર્ભગૃહની અંદરની દિવાલોને 30 કલાકની અંદર સોનાથી મઢવામાં આવી હતી. સૂયાસ્ત પછી, ગર્ભગૃહની અંદરનો પીળો પ્રકાશ દરેકની આંખોને મોહી લે  છે. મંદિર પ્રશાસનના જણાવ્યા મુજબ 37 કિલો સોનું આ દિવાલો પર લગાવવામાં આવ્યું છે. બાકીના કામોમાં 23 કિલો વધુ સોનું વાપરવામાં આવશે.

મંદિરના ગર્ભગૃહમાં સુવર્ણ મેન્ડેરિનનું ચાલી રહેલું કામ પૂર્ણ થયા બાદ પ્રથમ વખત પૂજા કરવા આવેલા વડાપ્રધાને આ કામ જોઈને કહ્યું કે, અદ્ભુત અને અકલ્પનીય કાર્ય થયું છે. વિશ્વના નાથનો દરબાર સોનાના ઢોળ સાથે એક અલગ છબી પ્રદર્શિત કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીવિતેલી  સાંજે 6 વાગ્યે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા, વિશ્વનાથ દ્વારથી પ્રવેશ્યા બાદ મંદિર પરિસરના ઉત્તરી દરવાજાથી ગર્ભગૃહમાં પ્રવેશ્યા હતા. મંદિરના આર્ચક સત્યનારાયણ ચૌબે, નીરજ પાંડે અને શ્રી દેવ મહારાજે બાબાની ષોડશોપચાર પૂજા કરી હતી. પૂજા બાદ વડા પ્રધાને બાબા શ્રી કાશી વિશ્વનાથ પાસેથી લોક કલ્યાણની કામના કરી.

ત્યાર બાદ  વડાપ્રધાને કેમ્પસની અંદર ચારેબાજુ સોનાનું કામ જોયું. તેમણે કહ્યું કે સુવર્ણ માળા બાદ દિવાલો પર કોતરેલી વિવિધ દેવતાઓની આકૃતિઓ વધુ સ્પષ્ટ રીતે પ્રદર્શિત થઈ રહી છે. મંદિરની શોભામાં ઓર વધારો થયો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code