મણિપુરના ઈમ્ફાલમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતા નોંધાઈ
- મણિપુરમાં ભૂકંપના આંચકા
- 4.0 ની નોંધાઈ તીવ્રતા
- કોઈ નુકશાન કે જાનહાનિ નહીં
ઈમ્ફાલ:મણિપુરના ઈમ્ફાલમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, રાત્રે 2:17 વાગ્યે આવેલ ભૂકંપના આંચકાના કારણે ધરા ધ્રૂજી ઉઠી હતી.જો કે હજુ સુધી આના કારણે કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી.
ગયા વર્ષે 9 નવેમ્બરે મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી.આના એક દિવસ પહેલા એટલે કે 8 નવેમ્બરે, મણિપુરના ઉખરુલમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી. ભૂકંપ સવારે 7.48 વાગ્યે ઉસરુલથી 56 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં આવ્યો હતો.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.