1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધંધુકા-બગોદરા હાઈવે પર હરિપુરા પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 5નાં મોત
ધંધુકા-બગોદરા હાઈવે પર હરિપુરા પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 5નાં મોત

ધંધુકા-બગોદરા હાઈવે પર હરિપુરા પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 5નાં મોત

0
Social Share

અમદાવાદઃ  રાજ્યમાં રોડ અકસ્માતના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. જેમાં નેશનલ હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં આજે અમદાવાદ  જિલ્લાના ધંધુકા બગોદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં મુસાફરી કરી રહેલા પાંચ વ્યક્તિના મોત નિપજ્યા હતા. એક જ પરિવારના બે બાળક સહિત પાંચ વ્યકિતના મોત થતા ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝિંઝર ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે

સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે, અમદાવાદ જિલ્લાના ધંધુકા-બગોદરા હાઈવે પર હરીપુરા ગામના પાટિયા પાસે  ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહિત પાંચ વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો.  એક જ પરિવારના પાંચ સભ્યોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહિત પાંચ વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝિઝર ગામના વતની હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં ફેદરા 108 એમ્બ્યુલન્સ વાન તેમજ પોલીસનો કાફલો તાકીદે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તમામ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી ટ્રકચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code