1. Home
  2. ગુજરાતી
  3. ભારત માટે કૃષિ વિકાસ દરમાં 6 થી 8 ટકાનો વધારો જરૂરીઃ નીતિન ગડકરી
ભારત માટે કૃષિ વિકાસ દરમાં 6 થી 8 ટકાનો વધારો જરૂરીઃ નીતિન ગડકરી

ભારત માટે કૃષિ વિકાસ દરમાં 6 થી 8 ટકાનો વધારો જરૂરીઃ નીતિન ગડકરી

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ​​ભારતમાં ફ્લેક્સી-ફ્યુઅલ સ્ટ્રોંગ હાઈબ્રિડ ઈલેક્ટ્રીક વાહનો (FFV-SHEV) પર જાણીતી કંપનીનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો જે 100% પેટ્રોલ તેમજ 20થી 100% મિશ્રિત ઈથેનોલ અને ઇલેક્ટ્રિક પાવર પર ચાલશે.

આ પ્રસંગ્રે નીતિન ગડકરીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારત માટે કૃષિ વિકાસ દરમાં 6 થી 8 ટકાનો વધારો જરૂરી છે. તેમણે ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે વધારાના અનાજ અને ખાંડને ઇથેનોલમાં રૂપાંતરિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ‘અન્નદાતાસ’ને ‘ઊર્જાદાતા’ બનવા માટે પ્રોત્સાહિત કરતાં મંત્રીએ કહ્યું કે આ પાઇલોટ પ્રોજેક્ટની સફળતા ઇલેક્ટ્રિક વાહનોની ઇકોસિસ્ટમ બનાવશે અને આ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં ન્યુ ઇન્ડિયાને વૈશ્વિક અગ્રણી બનાવશે. તેમણે કહ્યું કે આવી તકનીકો નવીન, ક્રાંતિકારી, ટકાઉ, ખર્ચ-અસરકારક, ઊર્જા-કાર્યક્ષમ છે અને નવા ભારતમાં પરિવહન ક્ષેત્રને સંપૂર્ણપણે બદલી નાખશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code